________________
[૨] સમાજ (માનવજાતિ) [2] સમષ્ટિ ( ઈતર જીવસૃષ્ટિ). એ ત્રણેએ મળીને આખું વિશ્વ એક એકમરૂપે અને છે. '' : , , - વાત્સલ્ય શબ્દનો અર્થ સામાન્ય રીતે બધા વહાંલ કે પ્રેમ એને કરે છે. ખરેખર વાત્સલ્ય શબ્દનો અર્થ એથી પણ વ્યાપક છે. તેને ભાવ માતૃભાવ સાથે વધારે બંધબેસત છે. જેમકે એક માતા પિતાના બાળકને ચાહે છે પણ સાથે જ તેને સંરક્ષણ આપે છે અને તેના જીવનને પોતાના સ્તનપાનથી પિષણ આપે છે અને બાળક માના ખેળામાં આવીને જગતના બધા દુઃખો અને ભયને ભૂલી જાય છે. આ બધા પવિત્ર-ભા વાત્સલ્યમાં આવી જાય છે. વાત્સલ્ય એટલે પ્રેમ સાથે જીવન વિકાસ અને તેની સંરક્ષકતા તેમ જ અભયનું સર્વ શ્રેષ્ઠ સ્થાન. : આમ આખા વિશ્વ સાથે વાત્સલ્ય ભાવ કેળવે એટલે કે દરેક જીવનને સંરક્ષણ આપી તેને વિકાસ થવા દેવો તેમ જ અભયવૃત્તિ કેળવવી એ વિશ્વ વાત્સલ્ય છે. વિશ્વ સાથે વાત્સલ્ય કેળવવું, સાધવું કે કરવું એને એ સ્પષ્ટ અર્થ છે. , શું આવું વિધવાત્સલ્ય સાધી શકાય ખરૂં! જ્યારે ઘરની અમૂક
વ્યક્તિઓ સાથે પણ તે સાધી શકાતું નથી, તેમ જ દરેક માણસ આખું વિશ્વ જોઈ શકતા નથી તે શું વિશ્વ વાત્સલ્યના ધ્યેયને પહોંચી શકાય ? એક માણસ ભલે આખા વિશ્વમાં ન પહોંચી શકે; પણ જે તે સમાજમાં દરેક માણસોને અને સમષ્ટિનાં દરેક પ્રાણીઓને; પિતાનાં જ અંગ રૂપે માની, આત્મીયતા કેળવે, સંયમ અને અહિંસાને પથે પોતે ચાલે અને બીજાને જવાની પ્રેરણા આપે. પોતાના જીવનને અમિષ્ટોથી દૂર રાખે અને બીજાનાં જીવનને અનિષ્ટોથી દૂર રાખી, સંરક્ષણ અને સંવર્ધન સમપે છે ત્યારે આપોઆપ વિશ્વ વાત્સલ્ય સધાય છે. મુનિશ્રી સંતબાલજી કહે છે કે “વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સાથે અનુબંધ (ધ્યેયપૂર્વક સંબંધ) જોડાયા પછી વિધવાત્સલ્યની સાધના સરળતાથી થઇ શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com