SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ગામડામાં વધારે જોવા મળે છે. વિશ્વ વાત્સલ્યને સાધક સામાજિક ક્ષેત્રના એકમ સ્વરૂપે ગામડાં પ્રતિ કઈ રીતે વાત્સલ્ય રેડી શકે? '' આજે ગામડાં જે ઉત્પાદન કરે છે, તેનું તેને વળતર બરાબર મળતું નથી. અલગ અલગ રીતે શહેરે તેનું શોષણ કરે છે. તેમને સંગઠિત કરી; સભ્યતાનો સંચાર કરી જરૂર પડે તે તપ-ત્યાગની મૂડીથી તેમને જમાડી તેમને અન્યાય દૂર કરવામાં આવે, કે તેવી પ્રવૃત્તિઓને સક્રિય સમર્થન આપવામાં આવે–એ તે એકમ પ્રતિ વાત્સલ્ય રસ રેડવું થશે.. - વિશ્વ વાત્સલ્યને સાધક ગામડાંની ઉપેક્ષા કરી શકે નહીં. એટલેજે મહાત્મા ગાંધીજીએ ગામડું પસંદ કર્યું હતું. તેમણે અમદાવાદ કે. કેઈ બીજા શહેરમાં આશ્રમ બાંધ્યો ન હતો; પણ કેચરબ અને સાબરમતીમાં બાંધ્યા હતાં–જે. ગામડાં જ છે. એવી જ રીતે વર્ધામાં નહીં પણ ત્યાંથી થોડે દૂર સેગાંવ-સેવાગ્રામમાં તેમણે આશ્રમ બાં હ. વિદેશીઓ આવીને તેમને આશ્ચર્યથી પૂછતા કે આપની આટલી બધી વિશાળ પ્રવૃત્તિ હોવા છતાં આપ આવા ગામડામાં કેમ બેઠા છે ? - ગાંધીજી કહેતા કે “જે તમારે ભારતનાં દર્શન કરવા હોય તે ગામડાં જેવા પડશે. ભારતીય સંસ્કૃતિ પણ તમને ગામડાઓમાં જ જોવા મળશે. ભારત મારું ગામડાઓમાં પડ્યું છે. પણ દુઃખની વાત એ છે કે ૮૦ ટકાથી વધારે વસ્તી ગામડાંઓમાં હોવા છતાં; ગામડાઓનો કોઈ અવાજ નથી. તેમનું કોઈ સંગઠન નથી. તેમની ઉપેક્ષા થઈ રહી છે.” એટલા માટે જ ગાંધીજીએ ગ્રામોદ્ધાર-ગામડાંને ઊંચા આણવાની વાત પલાં કરી. દરેક સેવકોને તેમણે ગામડે મેકલ્યાઃ ગ્રામોદ્યોગ અને ખાદી ઉપર ભાર મૂક્યો; જેથી ગામમાં રહેતા લોકોને કામધ મળી શકે. તેઓ આર્થિક દષ્ટિએ ઉન્નત થાય હિંદ આબાદ થાય. દર્શન અને તત્વજ્ઞાનનું ચિંતન પણ મોટેભાગે જંગલો કે નાના એવાં ગામડાઓમાં આ દેશમાં થવા પામ્યું છે. ઋષિમુનિઓએ કાં તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy