________________
૧૨૫
બેય મળતું નથી, માટે મારે શું કામ પડવું? વિશ્વ વાત્સલ્યને સાધક આવી કોઈપણ પ્રકારની ગ્રંથિથી પીડાતા ન હો જોઈએ.
(૮) સમાજની ભડક: પ્રયોગ ન ન હોય ત્યારે નવાથી ભડકવાની સમાજમાં જે વૃત્તિ હોય છે તે પણ એક બાધક કારણ છે. નવું આવતાં જાણે કોઈ આગ લાગી હોય અને બધું નષ્ટ થઈ જવાનું હોય એ રીતે વર્તે છે. ઘણીવાર સંપ્રદાય બહાર કરવા કે જ્ઞાતિબહિષ્કાર સુધી પણ એ લોકોની હેરાનગતિ પહોંચે છે. નવી વાતને આકાર ન લેવા દેવા માટે તેઓ બધું કરી છૂટે છે. એટલે વિચારેલું બધું કાં તે વિરોધમાં વહી જાય છે અથવા વિચારમાં પડ્યું રહે છે અને આચારમાં કશું પણ મૂકાતું નથી. આવી ભડકને શમાવવા માટે નવા પ્રયોગ પછીનાં સ્પષ્ટ પરિણામો અંગે સાધકે મક્કમતા કેળવીને કાર્ય કરવાનું રહે છે.
(૯) સાચી સમજણ (દષ્ટિ)ને અભાવ : ક્યારેક આચારમાં ન મૂકી શકવાનું કારણ સાધક પાસે સાચી દષ્ટિ કે સ્પષ્ટ સમજણનો અભાવ હોય છે. તેને જે કરવાનું છે તે અંગે તેની સ્પષ્ટ દષ્ટિ હશે તો તે બીજાને પણ તે અંગે સમજાવી શકશે તેમજ પોતે પણ આચરણમાં મૂકી શકશે.
આ બધાં કારણે એક ને એક સ્વરૂપે આચારનિષ્ઠામાં બાધક બનીને ઊભાં રહે છે. ત્યારે વિશ્વ વાત્સલ્યના સાધકે આ બધાં બાધક કારણેને દુર કરીને સમાજમાં આચારનિષ્ઠા કરવી રહી. ભૂમિના
ખેડાણ પહેલાં ખેડૂત જેમ ખેતરમાંથી કચર, ડાંખરા કે ઝાડીઓને વિણે નાખે છે અને મેદાનને એકસરખું હળથી ખેડે છે તેવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક ઉપરના બધાં બાધક કારણે કે અવરોધને દૂર કરે છે, એથી વિશ્વવાત્સલ્યના વિચારરૂપી બીનું વાવેતર સમાજમાં થાય છે અને તે એની આચારનિષ્ઠા છે. જેનું પરિણામ શિવાત્સાય ભાવરૂપી પુષ્કળ પાક આવે છે. વિચારેની સાર્થકતા તે તેની રચના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com