________________
૧૮૦
અને સ્વાર્થને વશ થઈ ફરજને ટાળવા મથે છે. તેને બદલે પોતાના અસલી ધર્મને સમજીને ફરજ બજાવવાની પ્રવૃત્તિ કરે તે જગતમાં આનંદ આનંદ થાય. વિશ્વવાત્સલ્યની આજ ધર્મનિષ્ઠા ગણાય.
ખેડૂત જે ખેતી, મજૂર, બળદ વ. બધાજ તરફ અને બધી જાતની ફરજ બજાવે તે સ્વાર્થ સાથે પણ પરમાર્થ થઈ શકે. બાકી બેદરકાર બને તે સ્વાર્થ અને પરમાર્થ બનેને હાનિ પહોંચાડે. એ જ રીતે વેપારી બ્રાહ્મણ કે સાધુ વગેરે જ્યાં ફરજ ચૂકે ત્યાં ત્યાં અધર્મ વધે છે.
આજે તે માલની જ નહીં બાળકોની પણ ચેરી થાય છે. જે માણસાઈ દષ્ટિએ માનવ એમ વિચારે કે “જે કોઈ માનાં બાળકો ઉપાડે તે એ માને કેવું દુઃખ થાય. જેણે મહેનત મજૂરી કરી થોડું બચાવ્યું છે તેનું શોષણ કરે કે ચોરી કરીને ઝૂંટવી લે તો તેને કેટલો ત્રાસ પડે! આવા સમયે વિધવાત્સલ્યને જરા સરખો વિચાર આવે જોઈએ કે આવું ભયંકર કૃત્ય કદાપિ થઈ શકે જ નહીં–એજ એની ધર્મનિષ્ઠા છે. વ્રત અને નીતિને મેળ મળે જોઈએ
શ્રી બળવંતભાઈ: “ધર્મનિષ્ઠાને જે વિશ્વવાત્સલ્યનું મૂળ કટપીએ તે નીતિનિષ્ઠા એનું થડ છે. બાકી તે વગેરે તેની શાખા ડાળીઓ છે. આજે થડ તરફ ઓછું લક્ષ અપાઈ રહ્યું છે. એટલે જ ભગવાન મહાવીરને માનનારાએ જેને વર્જનીય ગણ્યાં છે, તે પંદર કર્માદાનને આચરવામાં અનિષ્ટને જોતા નથી. અહિંસા અને અપરિગ્રહની વાત કરવા છતાં કાળાબજાર અને શોષણ કરી શકે છે. પર્યુષણમાં ઉપવાસ, લીલોતરી, ત્યાગ, અસ્નાન વ. આચરવા છતાં ઉપલાં કર્મો હેશથી કરી શકે છે. કારણ કે વ્રત અને નીતિને સુમેળ સધાયો નથી. વિશ્વ વાત્સલ્ય અને “આત્મવતુસર્વભૂતેષુ” ની મૂળભૂત જૈનધર્મની નીતિનિષ્ઠા તેમનામાં કાચી રહી ગઈ છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com