SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ સાધ્વીઓ અંગત વિકાસ અને સામાજિક વિકાસ માટે પરસ્પર પૂરક બનીને તાદામ્ય સાધે છે તેવી બ્રહ્મચર્ય સાધના સર્વાગી બની શકે. લાદામ્ય સાધના જ એકબીજાને પરસ્પર પ્રેરક બનાવી શકે છે; જોખમ વખતે ચેતવી શકે છે અને બ્રહ્મચર્યથી પડતી(ડગતી) વખતે જાગૃત કરી શકે છે. કે ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં સતીઓ દ્વારા પુરૂષને પ્રેરણું મળ્યાના તેમ જ પુરૂષ વડે સ્ત્રીઓને પ્રેરણા મળ્યાના અનેક ઉદાહરણ મળી આવે છે. જૈન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથોમાંથી એક-બે દાખલાઓ લઈને તે અંગે વિચાર કરીએ. * યમ અને યમી : ઋદમાં યમ અને યમીનું એક સુંદર આખ્યાન મળે છે. યમ અને યમી બને ભાઈબહેન હેય છે યમી પિતાના ભાઈ યમને કામવાસના પિષવા માટે અને પોતાને પરણવા માટે કહે છે. યમ તે ભાગે જવાની ના પાડે છે. તે કહે છે: “જે વાત્સલ્ય, સ્ત્રી અને પુરૂષ બન્ને પરણતાં વિકૃત થઈ કામવિકાર બની જાય છે તે યોગ્ય નથી. તેના બદલે આપણે ભાઈ અને બહેન તરીકે રહીને બ્રહ્મચર્ય પાળીને વાત્સલ્યની વૃદ્ધિ કરીએ એ યોગ્ય છે.” યમી તેને ઘણું રીને લલચાવે છે. પણ ભાઈ યમ પિતાનું મન મક્કમ રાખે છે અને બહેનને પણ ચારિત્ર્ય માટે પ્રેરે છે. જેથી તેને પણ સાચા વાત્સલ્યને આનંદ મળી શકે છે. આ આખ્યાનમાં એક દઢ નિશ્ચયી પુરૂષ વડે નારીને અંગત વિકાર ઉપર સયમની સુંદર પ્રેરણા મળી છે. સુંદરી દ્વારા ભરતને પ્રેરણા: . એવી જ રીતે ભગવાન કષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી પિતાની ઓરમાન બહેન સુંદરીને પત્ની બનાવવા ઇચ્છે છે. એ યુગમાં ભાઈબહેનનાં લગ્ન પ્રચલિત હતાં. એ સહજ વસ્તુ હતી એટલે તેની નિદા કે તિરસાર ન થતાં, ભરતને ઘણી ઈચ્છા હતી પણ સુંદરીને આત્મા જાગૃત હતો. તે ચક્રવતના વૈભવ કે મહત્તામાં અંજાઈ જઈ તેને પતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy