________________
सत्त्वेषु मैत्रो, गुनिषु प्रमोद, जिलप्टेषु जीवेषुः कृपापरलम माध्यस्थामाबं विपरीतवृत्तौ सदा ममारमा विद् धातुदेव:
હે દેવ ! આ મારે આત્મા પ્રાણીભાગ સાથે મૈત્રી રાખે, ગુણીજનો સાથે પ્રમોદભાવ રાખે; દુઃખી છો ઉપર કરૂણભાવ રાખે અને વિપરીત કે અનિષ્ટ આચરણ કરનારાઓ પ્રત્યે માધ્યસ્થ ભાવ (સમભાવ) હમેશાં રાખે.
આ ચારને નવેસરથી અર્થ વિચારવા પડશે. એક માતા હમેશાં પિતાના બાળક પ્રત્યે પ્રેમ રાખે છે; તે સારું કામ કરીને આવે ત્યારે તેને શાબાશી આપે છે, તે દુઃખમાં હેય તે તેના પ્રત્યે કરૂણ દાખવી તેનું દુઃખ દૂર કરે છે. તે પેટે માર્ગે જાય કે ખરાબ આચરણ કરે તો તેને ઠપકો આપે છે અથવા અસહકાર કરે અગર તે મૌન રહે છે; પણ, આ ચારેય પરિસ્થિતિઓમાં માતાના હૃદયમાં બાળક પ્રત્યે વાત્સલ્યનું ઝરણું તે વહેતું જ હોય છે. તેવી જ રીતે વિશ્વ વાત્સલ્યને સાધક પણ ચારેય પરિસ્થિતિમાં સમસ્ત વિશ્વ પ્રત્યે વાત્સલ્ય તે વહેવડાવતે જ રહે છે...
મિત્રી ભાવના:-સર્વ પ્રથમ મૈત્રી ભાવ આવે છે. વિશ્વ વાત્સલ્યના સાધકની મૈત્રી પોતાની આસપાસના લોકો સુધી જ નથી રહેતી પણ તેણે વ્યક્તિ, સમાજ અને સમષ્ટિ સુધી એને વિકાસ કરવો પડશે.. એટલે જ “fકરી સવ્ય મૂ ” અર્થાત્ સર્વે જીવો સાથે મારી મૈત્રી થાય” એમ કહ્યું છે.
બીજા છ કરતાં માનવ વધારે વિચારશીલ, બુદ્ધિવાન અને જ્ઞાનવાન છે. તે સમાજ વ્યવસ્થા સાચવી શકે છે એટલે તેની જવાબદારી બીજા જીવો કરતાં વધારે છે. મૈત્રીભાવ પ્રગટાવવા માટે તેણે “જી અને જીવવા દે !” નું સૂત્ર અપનાવવું પડશે. પોતે જીવે અને બીજા પણુ જીવે એ સહઅસ્તિત્વના સિદ્ધાંત એને વ્યાપક રૂપે રાષ્ટ્ર, સમાજ, જ્ઞાતિ, ધર્મ કે માનવ નીમિંત અન્ય સંસ્થાઓ સાથે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com