________________
વિશ્વ વાત્સલ્યના સાંસ્કૃતિક ક્ષેત્રના એકમ તરીકે વિશ્વને રાખી શકાય. જ્યારે સંસ્કૃતિની દષ્ટિએ વિચાર કરવામાં આવ્યા છે ત્યારે માનવ માત્ર
જ્યાં વસે છે, એવા સંપૂર્ણ વિશ્વને તેની સંસ્કૃતિનું ક્ષેત્ર ગણી શકાય. વેદના ઋષિઓએ પણ એજ વાત કરી છે –
यत्र विश्व भवत्यंकनीडम् –જ્યાં આખું વિશ્વ પંખીના એક માળા જેવું બની જાય છે. स्वदेशो भुवनत्रयम् –ત્રણે લેક (ભારતના લોકો માટે) સ્વદેશ છે.
એવી જ રીતે “૩ારવરિતાનાં તુ વસુધૈવ કુટું ” કહીને જણાવવામાં આવ્યું છે કે જેઓ ઉદાર હૃદયના છે તેમના માટે તે આખું વિશ્વ કુટુંબ છે. આમ એક કુટુંબની રાષ્ટ્રની અને એક સંસારની ભાવના વિશ્વમાં વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વમાં બધા પ્રાણીઓ, બધી સુસંસ્થાઓ, બધા રાષ્ટ્ર, બધા સમાજેની સાથે બધા પ્રકારના વાદ, પક્ષ, વિચારધારાઓ અને સંસ્કૃતિઓ પણ આવી જાય છે. પ્રાણીમાત્રની દષ્ટિએ વિચારવાથી સાંસ્કૃતિક એકમની કલ્પના થઈ શકે અને તેને વિશ્વ પૂરું પાડે છે.
સાંસ્કૃતિક ક્ષેત્રના એકમ તરીકે વિશ્વવાત્સલ્ય સાધવું એટલે કે સાધકે વિચાર કરવાનું કે તે આખા વિશ્વને સંસ્કૃતિથી સભર કેવી રીતે કરી શકે અને તેનો અમલ કઈ રીતે થાય? અહીં નાનામાં નાના પ્રાણું પ્રત્યે કરૂણા આણી તેના સુખ અને વિકાસને વિચાર કરવાને છે. તે સમસ્ત પ્રાણીઓના કલ્યાણની કામના કરે છે; એ રીતે વિચારે છે અને તે પ્રમાણે અનુસરે પણ છે. સાધક જ્યારે વિશ્વ વાત્સલ્યને વિકાસ સાધે છે ત્યારે તે વિશ્વ સાથે સાંસ્કૃતિક દૃષ્ટિએ અનુબંધ જોડે છે. ત્યારે તેની ચિંતા તેને કરવાની રહેતી નથી. તેની ચિંતા વ્યક્ત જગતની સાથે અવ્યક્ત જગત આપોઆપ કરવા લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com