________________
૨૪૦
છેવટે વિનેબાજી પાસે વાત ગઈ. તેમણે કહ્યું: “શાંતિ સૈનિક અને સર્વોદયનો પ્રયોગ કરે !”
મેં કહ્યું: “ સંતબાલજીને શાંતિ સૈનિક થઈ ચૂક્યો છું. એ રીતે સન ૧૯૫૬ માં શાંતિ સૈનિકેની કાર્યવાહીમાં ગયે પણ છું.”
વિનોબાજીએ કહ્યું કે તે તમે શાંતિ સૈનિક નહીં ગણાઓ પણ મિત્ર ગણશે ! ભૂદાન કાર્યક્રમના સંદર્ભની આ શાંતિ સેનાની વાત છે.”
મેં કહ્યું: “તે મિત્ર તરીકે ઉત્તેજન આપીશ. અંગ નહીં બની શકું !”
એવા પણ પ્રયોગો કર્યા કે ખેડૂતો એક મણ અનાજ આપે અને મારે ચલાવી લેવું. આ બધી વાતને સાર એ જ છે કે “કુદરત પર એટલે કે નિસર્ગનિષ્ઠા પર જીવન છોડે” તે છતાં મારી કોમળતાને આંચ આવી નથી. કાર્લ માકર્સની પરિભાષામાં કહું તે “તેજસ્વિતા વધે છે... ઘટતી નથી.” આ અનુભવયુક્ત છે સત્ય શ્રધની વાત ! ” શ્રદ્ધા ઉપર અડગ રહે :
શ્રા પૂજાભાઈ કહેઃ “માટલિયાએ પ્રેરણા પદ જાત અનુભવો કહ્યા. એવા જ થોડા કે વધુ અનુભવો સેવક કાટિના દરેક માણસને થતા હશે. અવ્યક્ત જગતમાંથી કુદરત રક્ષણ અને પિષણ આપે જ છે. પણ શ્રદ્ધાની આકરી કસોટી થતાં ટકાતું નથી.
એક ઘેડાને પરાણે ઘી-ગોળ મળતા હતા, ત્યારે એની સેવા કરનાર માણસને મળતા ન હતા. પણ તેણે જ્યારે સાવ નિસર્ગ ઉપર શ્રદ્ધા રાખી જીવન છેડી દીધું અને પ્રાણુ - પરિગ્રહની પ્રતિષ્ઠાની પણ દરકાર કર્યા વગર જંગલમાં ગયો તો મોંમાં પરાણે લાવીને મૂકન્ડર રાજવી અને એના માણસો મળી ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com