________________
ર૬૦
સારી પેઠે પાછા વળાવી લીધા. પેલી યાદી પ્રમાણે તેમણે દરેક ઘરે આ લાડવા પહોંચાડયા.
એક ઘરમાં માયાળુ માએ વિચાર્યું કે મારે દીકરે આવશે ત્યારે જ હું ખાઈશ એકલી કેમ ખાઈ શકું? એમ વિચારી આવેલા લાડવા રાખી મૂક્યા. સાંજે તેને દીકરી નિશાળેથી પાછા આવ્યા. તેની માએ કહ્યું: “દીકરા ! આ લાડવા તારા માટે આવ્યા છે; તું ખાઈ લે!”
જેને મહીનાઓ સુધી ગેળ નહોતે મળે તેને મન લાડવાની કેટલી કીંમત હશે? છોકરે તે ગેલમાં આવી ગયો. તેણે ખૂબ આનંદમાં આવી લાડવાને એક ટુકડે તેડ્યો. અંદર કેઈક પીળી વસ્તુને સ્પર્શ થયું. તેણે તરત માને કહ્યું. “બા! આ પીળું પીળું શું છે ? લાડવામાંથી નીકળ્યું છે.”
માને સમજતાં વાર ન લાગી. તેણે કહ્યું: “લાડવા ખાઈ લે ! અને બીજુ છે એને તું ધોઈને બાજુએ મૂકી દે!”
દીકરે અને માએ મળીને લાડવા પૂરા કર્યા. ચાર સોના મહેરો નીકળી હતી તેને પડીકામાં બાંધી, માએ દીકરાને કહ્યું: “તેં શામળશા શેઠનું ઘર જેવું છે ને. પેલું ઊંચું ઊંચું છે તે !”
હા, મા! પણ તેનું શું કામ છે?” દીકરાએ પૂછયું.
“દીકરા ! તેમને ત્યાં જઈને આ ચાર સોના મહોર પાછી આપી આવ. કદાચ લાડવા વાળતી વખતે અંદર પડી ગઈ હશે. “માએ કહ્યું.
છોકરે તે તૈયાર થઈને શેઠને ત્યાં પહેઓ. ચાર ના મહેરની પડીકી શેઠને આપતાં કહ્યું: “બાપા! આ પડીકી મારી માએ મોકલી છે.
શેઠ પડીકી ખોલીને ચકિત થઈ ગયા. ગરીબ છતાં મહેનત કરી કમાનાર અને છોકરાને ભણાવનાર તેમજ ઘર ખર્ચ ચલાવનાર વિધવા બહેનમાં આટલી પ્રમાણિકતા. તેમણે છોકરાને ખોળામાં બેસાડી દીધી અને .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com