SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું: “દીકરા ! ધન્ય છે તારી જનેતાને! જેણે ગરીબી છતાં પ્રમાણિકતા ગુમાવી નથી.” તેમણે પોતાની પાસેથી બીજી ચાર સેના મહેર કાઢીને પડીકીમાં નાખતા કહ્યું : “જા આને પાછી લઈ જા! તારી બાને કહે છે કે શેઠ પાછું લેતા નથી. કહ્યું છે કે છોકરાના ભણતરમાં એને સદુપયોગ કરજો !” છોકરે પિતાની મા પાસે આવ્યો. તે સમજી ગઈ કે શેઠે જાણી જોઈને ગરીબેને સ્વમાનભેર મદદ કરવાની દષ્ટિએ એવું કર્યું છે એટલે તે લેવામાં કોઈ વાંધો નથી. આવી રીતે જૂના વખતમાં લોકોને પૈસાદાર વર્ગ ઉદાર હતો. માલિકી ઉપર સહેજભાવે અંકુશ રાખતે અને વધારાની સંપત્તિ અને સામગ્રી સમાજની ગણતે. એટલે જ તે વખતે મોટા સંઘર્ષો ન હતા. ગરીબને અમીરોની સંપત્તિ જોઈને અદેખાઈ ન આવતી. જરૂર કરતાં કોઇપણ વધારે ન રાખવું એ આદર્શ ગણાત. લોકજીવનમાં પચાસ વર્ષ પછી નિવૃત્તિ લેવી આદરને વિષય હતે. ધીમે ધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ. સંગે બદલાતા ગયા. માણસ કરતાં પૈસાની વધારે કીંમત અંકાવા લાગી. પૈસાદારે સ્વાર્થી બનવા લાગ્યા અને પૈસે તેમના ગર્વનું કારણ બને. ગરીબ ભૂખે મરવા લાગ્યા. મહેનત કરવા છતાં પટને ખાડે પૂરે ન થવા લાગે. આજે પરિસ્થિતિ એટલી બધી વિચિત્ર અને વિષમ છે કે ગરીબ તે ભૂખે મરે છે પણ ધનવાન વર્ગ પૈસા મેળવવા માટે એટલા બધા અધમ ઉપાય કરે છે કે તે સમાજની શરમ બનીને ઊભે છે. એક વખત એક શેઠની મોટર સડક ઉપરથી પસાર થઈ રહી હતી. તે વખતે સડકની પગથી (ફૂટપાથ) ઉપર એક ભૂખ્યો અને ગરીબ માણસ પડ્યો હતે. તે ભૂખથી પીડાતો હતો. શેઠનું તેના તરફ ધ્યાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy