SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ રહ્ય ખેડૂત નેપાલક અને વ્યાપારીઓ અને શો એટલે એમના સહાયકોશ્રમજીવીઓ. આ વાત કોઈને ગળે તરત નહી ઉતરે. ક્ષત્રિો અન્યાય પ્રતિષ્ઠા ન આપે એટલે તેમણે પૈસો તથા સત્તાને પ્રતિષ્ઠા ન આપવી જોઈએ. તે એ કોંગ્રેસને ગળે નહીં ઊતરે. શ્રમજીવી વૈશ્યો અને શુએ–બનેએ મુખ્યત્વે ગામડાં લેવાં જોઈએ, તે એ વાત પણ કોઈને તરત ગળે નહીં ઊતરે. પણ આજના યુગ પ્રમાણે વર્ણ વ્યવસ્થામાં ફેર બદલી કરવી પડશે અને તેના નવાં મૂલ્યો બાંધવા કાર્યક્રમો રજુ કરવા જ પડશે. આ બધામાં વર્ગ, જાતિ કે સંપ્રદાયને લક્ષમાં નહીં રખાય પણ વિશ્વને લક્ષ્યમાં રાખીને કાર્યક્રમ અપાશે અને ઘડાશે. માનવી પોતે મર્યાદિત હેઈ અને પ્રારંભમાં સર્વાગી કાર્યકરે પણ ઓછા મળવાના હોઈ ક્ષેત્ર (કાર્યક્ષેત્ર) પણ મર્યાદિત અને ટુંકું લેવું પડશે. વળી આજના સાધુ સન્યાસીઓની કક્ષા મુજબ લોકો તેને ઝીલશે. કાર્યક્રમો પણ કક્ષા પ્રમાણે આપવા પડશે. કાર્યક્રમની શ્રેષ્ટિ : ક્રાંતિ અને ક્રમ એ બન્ને શબ્દો ક્રમ ધાતુ પરથી બનેલા હોઈ એકાર્થ માનીએ તે; કાર્યક્રમને અર્થ સમાજકાર્યમાં ક્રાંતિ અગર તે સમાજકાર્ય દ્વારા ક્રાંતિ, એમ થાય છે. એ દષ્ટિએ કાર્યક્રમ સમાજમાં નવાં મૂલ્યની સ્થાપના કરનાર, મુલ્ય પરિવર્તન કરનાર નીવડે, એ દૃષ્ટિ કાર્યક્રમ ગોઠવનારની હેવી જોઈએ. દા. ત. શિયાળનું દવાખાનું લઈએ. આમ તો તે સર્જનાત્મક કાર્યક્રમ છે. પણ, જ્યારે શુદ્ધિ પ્રાગ ચાલતો હશે અથવા લવાદીથી ઝઘડા પતાવવાને વ્યાપક કાર્યક્રમ ચાલતું હશે ત્યારે દવાખાનાના ભાઈબહેને માટે દવાખાનું ગૌણ બની જશે; અને પ્રતિકારાત્મક કાર્યક્રમ અથવા મૂલ્ય પરિવર્તનાત્મક કાર્યક્રમ મુખ્ય બની જશે. મતલબ એ છે કે આમ તે સમાજના બધા કાર્યક્રમ સમાજના નવસર્જન માટે છે છતાં, એમના મુખ્ય ત્રણ ભેદ રહેશે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy