________________
૨૯૪
યોગશાસ્ત્રમાં “ધારણુ” શબ્દ આવે છે, એને અર્થ છે જે વિચાર કે વાત હોય તેને ધારણ કરવી. જે વિચાર આપણે કર્યા, તેની ધારણ નહીં થાય તે તેમાં કચાશ રહી જશે. પછી તે વિચાર કાંતે વિચારકો અથવા વ્યક્તિ વિશેષ સુધી જ બનીને રહી જશે. તે સમાજ વ્યાપી નહીં બની શકે. આપણા શરીરમાં-દરેક અંગોમાં (પગ, જારસ્નાયુ) બધી શક્તિઓ ધારણ શકિતથી પ્રગટ થઈ ક્રિયાશીલ બને છે. તેમાં જન્માંતરની ધારણા ઉપરાંત આ જન્મને પ્રયત્ન અને બીજાઓને પણ સહકાર હોય છે. જેમ માતા બાળકની આંગળી પકડે છે અને બાળક માની મદદ મેળવી ચાલે છે, તેમ ક્રાંતિકાર પિતાની ક્રાંતિ સમાજવ્યાપી બનાવવા માટે સમાજ આગળ કાર્યક્રમ મૂકે છે, જેથી વ્રતનિષ્ઠા વ્યાપકરૂપ ધારણ કરે છે; ઘડાય છે અને નીતિનિષ્ઠા મજબૂત થાય છે.
એ માટે ગાંધીજીએ તેર અને વિસ્તારથી ઓગણીશ કાર્યક્રમો દેશની પ્રજા, પ્રજાસેવકો અને કોંગ્રેસ આગળ મૂક્યા. અસ્પૃશ્યતા નિવારણ, સફાઈકામ વગેરે કાર્યક્રમો પ્રારંભમાં લોકોને બહુ આંચકાવાળા લાગ્યા. પણ ધીમે ધીમે લોકો એનાથી ટેવાઈ ગયા. આમ ધારણ શકિત પ્રજામાં આવી ગયા પછી જ ધીરે ધીરે ક્રાંતિમય કાર્યક્રમો પચે છે. જેમ શરૂઆતમાં કોઈ માંડ પાંચ શેર વજન ઉપાડી શકે, તે ધારણ–બંધાતા ધીરે ધીરે એક મણ બેજે પણ ઉપાડી શકે છે. તેમ સમાજમાં ઘર ઘાલી બેઠેલાં ખોટા મૂલ્યો દૂર કરવામાં શ્રમ અને સમય અપરંપાર લાગવાને સંભવ છે. એટલે ક્રાંતિકાર જેની સામે ચિત્ર સ્પષ્ટ છે તેને કેટલીક વખત એકલા જ દેડવું પડશે. પ્રારંભમાં તે સાથી ભાઈ–બહેને પણ દલીલો કરશે અને કેવળ શ્રદ્ધાપ્રઘાન સાથીઓ જ સાથે ચાલશે, ખેંચાશે અને ધીમે ધીમે સમાજ પણ પાછળ ચાલવા માંડશે. નવા વર્ણો :
આજે ચારેય વર્ણ લુપ્તપ્રાય બન્યા છે. તેના બદલે નવા વર્ષે કે વર્ષોની નવી રીતની વિચારસરણી વિચારીએ, એ ઠીક થશે. બ્રાહ્મણો એટલે રચનાત્મક કાર્યકરો, ક્ષત્રિય એટલે કોગ્રેસરૂપી સંસ્થા, વૈશ્ય એટલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com