________________
૨૭૪
વિશ્વવાત્સલ્યને વહેવડાવવું હોય તે સંતાનને કેમ છોડાય ? એ જવાબદારી ઉપાડી અને થોડે સંગ્રહ કરતા, દેખાદેખીએ વધુ સંગ્રહ થયે. જો કે અગાઉ સાર્વજનિક કાર્યોમાં સંગ્રહ, કાંઈ પણ કામ પ્રસંગે તરત વપરાઈ જતે પણ ધીમે ધીમે તે વધુ થવા લાગે. આમાં પણ સારાં કપડાં, દાગીના, મકાન, સામાજિક ખર્ચ વગેરેમાં હરિફાઈઓ થવા લાગી. પરદેશને બહુ ચેપ ન હતો ત્યાં લગી મર્યાદા કાંઈકેય રહેતી, પણ પછી તે પરિગ્રહ વધ્યો. એક ઠેકાણે ટકરે થાય તે બીજે ઠેકાણે ખાડે પડે જ! જેમ જેમ ખાઓ વધવા લાગ્યો કે નીતિના બંધ ઢીલા પડવા લાગ્યા. ચોરીનાં પણ સાધને મેળવવાં અને જોગવવાં એવી વૃત્તિ જાગી. બુદ્ધિવાળા દિન દહાડે અને ઓછી બુદ્ધિવાળાં દાંડ તર રાત્રે લૂંટવા લાગ્યા. જ્યાં પરિગ્રહ ન હોય ત્યાં કેવું સંધરે અને કોણ ચેરે? બાકી આજે તે પરિગ્રહની લાલસાએ માઝા મૂકી દીધી છે.
ખુદ એક અપરિગ્રહી સાધુ જે ધર્મના ધુરંધર ગણાતા, અને જેઓ ધર્મ નિસર્ગ, નિર્ભરતા અને અપરિગ્રહની અવધિરૂપ ગણુતા, તેઓ વીસ હજાર રૂપિયા આડકતરી રીતે પિતીકારૂપે ફેરવતા હતા, આ સાંભળીને આપણે દિંગ થઈ જઈએ છીએ અને દુઃખ પણ ખૂબ થાય છે.
આ દાખલો આપવાનું કારણ એટલું જ કે સમાજમાં પરિગ્રહને સડે કેટલો ઊડે ગયે છે. આથી જ વિશ્વ વાત્સલ્યના પ્રચારક સાધક – સાધિકાએ ઝીણું ઝીણી વાતને પરિગ્રહ છેડીને માલિકી હક મર્યાદાને વિચાર કરવો પડશે.
શ્રી દેવજીભાઇએ ત્યાર બાદ પિતાની નજીકમાં રહેતા એક કુંભારકુટુંબને દાખલો આપ્યો હતે. ગરીબી કે તંગીમાં દેખાદેખીથી કેવી રીતે દૂષણ પેસે છે તેનું બયાન રજૂ કર્યું હતું. અને તેમાં થોડી ક છત થતાં; ચહેરા કેવા ખીલી ઊઠે છે તેને પણ અનુભવ રજૂ કર્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com