________________
૩૯૫
સ્વીકારી અને અપનાવી લીધા છે, એમ નથી. કેટલાક તેમને શિરસ્ત પાળે છે, કેટલાક વિરોધી છે. કેટલાક સમર્થક છે. પંડિતજી કોંગ્રેસ દ્વારા વિશ્વશાંતિ માટે નિઃશસ્ત્રીકરણની વાત વિશ્વમાં મૂકવા માગે છે. એ ગાંધીવિચારનું એક બળ છે.
ગાંધી વિચારનું બીજુ બળ છે વિનોબાજી. ગાંધીજીએ તેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા. રચનાત્મક કાર્યકરે તથા સંસ્થાઓ એમને અનુસરે છે. તેઓ બધાની આગળ પિતાની વાત મૂકે છે અને બધી જ બાબતોમાં રચનાત્મક કાર્યકરે તેમને માને છે એવું નથી. પણ, એટલું ખરું કે એમની વાતને જ—એમના અભિપ્રાયને આધારભૂત માનીને તેઓ ચાલે છે.
એમણે ગાંધીજીના અવસાન પછી, લગભગ બધી જ રચનાત્મક સંસ્થાઓની સંકલ્પના કરી સર્વ સેવાસંધ સ્થાપે. સર્વસેવાસંધ ગાંધીજીના વિચારોને ઝીલનારૂં બળ છે.
ચરખાસંઘે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં સમાઈ જવું જોઈએ એવો વિનોબાજીને અભિપ્રાય સ્વીકારાય અને ચરખાસંઘ તથા ખાદી ગ્રામોદ્યોગ બર્ડ એક બની ગયાં. ગાંધીજી પછી રાજકીય ક્ષેત્રે તેમના વારસદાર તરીકે પંડિત જવાહરલાલ નેહરૂને ગણી શકાય તે * આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે તે સ્થાન વિનોબાજીનું છે, એ સ્વીકારાયેલું સત્ય છે. અંબર ચરખાની શોધ થઈ ત્યારે વિનેબાજીને પૂછવામાં આવ્યું કે અંબર ચરખાને સ્વીકાર કે નહીં ? ત્યારે એમણે કહ્યું : “અબર તે અવતાર છે એને અવગણે ચાલશે નહીં !” એટલે ચરખાસંઘે અંબર ચરખાને સ્વીકાર્યો અને તેણે કાંતણની દિશામાં માનવની આર્થિક સ્થિતિને સુધારો કર્યો. એટલું જ નહીં પાકિસ્તાન જેવાએ પણ તેને અપનાવ્યું છે. અ. ભા. ખાદી ગ્રામોદ્યોગ બેડે એમાં અવનવી શોધ કરી.
નઈ તાલીમ અને નવું સ્વરૂપ શું આપવું તે માટે આશાદેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com