________________
[૩]
વિશ્વવારાલ્યનાં પાસાંઓ
[ ૩૧-૭-૬૧]
–મુનિશ્રી નેમિચંદ્રજી વિધવાત્સલ્યનાં કયાં ક્યાં અને કેટલાં પાસાં છે તે અંગે અત્રે વિચાર કરવાને છે. વિશ્વવાત્સલ્ય શબ્દની એવી વિલક્ષણતા છે કે એનું નામ લેતાં જ માતાનું ચિત્ર • આંખ આગળ ઉભું થાય છે. વિધવાત્સલ્યનાં પાસાંઓ ઉપર વિચાર કરવા માટે પણ માતઇદયનાં પાસાંઓ પણ તપાસવા પડશે. •
માતા કેવળ બાળક ઉપર આસકત થઈને પ્રેમ કરે છે એ એના હૃદયનું એક પાસું છે. તે એને મારે પણ છે-દંડ પણ આપે છેગુસ્સો પણ કરે છે. આ એક બીજું પાસું છે. પણ બને સ્થિતિમાં તેના અંતરમાં વાત્સલય તે ભરેલું જ હોય છે. તે ચાહે છે ત્યારે પણ તેના દિલમાં વાત્સલ્ય હેય છે અને જ્યારે દડે છે ત્યારે પણ એ વાત્સલ્ય હેય છે. તે જ એને પ્રેરે છે કે તેનું બાળક નઠારું ન થવું જોઈએ. બગડવું ન જોઈએ. એવી હિતભાવના તેના હૃદયમાં સતત રહે છે. એમાં મમતા પણ છે અને સમતા પણ છે. જ્યારે બંનેને સમન્વય થાય ત્યારે જ વાત્સલ્ય ખીલે છે. વિશ્વવસલ્યમાં પણ આમ બંને પ્રકારની વૃત્તિ અને ભાવનાને સમન્વય સાધવાનો રહે છે. વિશ્વ વાત્સલ્ય જ્યાં એક તરફ અનિષ્ટોને દૂર કરવાનું સૂચવે છે ત્યાં બીજી તરફ સમાજજીવનમાં સંયમ, ધર્મ અને નીતિ વગેરેને પ્રવેશ કરવાનું સૂચવે છે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com