________________
આજના સર્વોદયી વિચારકામાં આર્થિક અને સામાજિક સિવાય બધા ક્ષેત્રેથી અલગ રહેવાની વૃત્તિ આવી છે તે ઉચિત નથી; તેમજ સંગઠનમાં ને માનવાથી નીતિનિષ્ઠાને પાયો કાચે રહી જાય છે. (૪) ચારે પ્રકારનાં સંગઠનનો અનુબંધ :
વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું ઉપરની વિચારસરણને અનુરૂપ શું સૂત્ર એ છે કે વિશ્વ વાત્સલ્યના સાધકે આ માનવજીવનના બધા ક્ષેત્રમાં કામ કરનાર ચારેય સંગઠને [ (૧) કાંતિપ્રિય સાધુ-સન્યાસી– સાધ્વી (૨) સર્વાગી દૃષ્ટિવાળા લોક સેવકો (૩) નૈતિક જનસંગઠને (૪) રાજ્ય સંસ્થા (કોંગ્રેસ) ની સાથે અનુબંધ રાખશે અને અનુબંધ વિચારને મૂકીને એક પણ ડગલું આગળ ભરશે નહીં.
આ સૂત્ર ઉપરથી નીચેના ચાર મુદાઓ ફલિત થાય છે –
[૧] જ્યાં અનુબંધ તૂટતો કે તૂટેલો હશે અથવા બગડતો કે બગડેલો હશે ત્યાં વિશ્વાત્સલ્યને સાધક તેને સાંધવા કે સુધારવા મથશે.
[૨] અયોગ્ય તને (જેમકે કોમવાદી, હિંસાવાદી, મૂડીવાદી બળે કે પક્ષો, અસ્પષ્ટ દષ્ટિવાળી કે એવા પક્ષોને ટેકો આપનારી સંસ્થાઓ) પ્રતિષ્ઠા આપવાથી કે ટેકે આપવાથી અનુબંધ બગડે છે એમ માની, કામ વધારે થવા માટે, જલદી થવા માટે, કે કાર્યમાં મદદ મેળવવા માટેના લોભમાં કે શેહમાં તણાઈને, અથવા નાહક સંધર્ષ થશે એથી ડરી જઈને વિશ્વ વાત્સલ્યને સાધક તેને પ્રતિષ્ઠા કે ટેકો આપશે નહીં. એવી જ રીતે પૈસાદાર કે સત્તાધારીને માત્ર પૈસા કે સત્તા ખાતર મેટું પદ કે પ્રતિષ્ઠા આપશે નહીં.
૩] અનુબંધ રીતે જે ચાર સુસંસ્થાઓને આ કમ છે – (૧) ક્રાંતિપ્રિય સાધુ, સન્યાસી સાધ્વી (૨) સર્વાગી દૃષ્ટિવાળા લોકસેવકોનું સંગઠન (૩) નેતિક જન સંગઠન, અને (૪) રાજ્ય સંસ્થા, એ ચારેયને, વિશ્વ વાત્સલ્યને સાધક જેનું જ્યાં સ્થાન અને યોગ્ય ક્ષેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com