SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વૈદિક ધર્મમાં માને માયા (માતા) રૂપે જગતની નિયામક શક્તિ ગણવામાં આવી છે. જેનધર્મમાં “કર્મ અને જગતના કાર્યકારણ ભાવની મહા નિયમા શકિત બતાવવામાં આવી છે. સાંખ્યદર્શનમાં એને પ્રકૃતિ રૂપે બતાવવામાં આવી છે, જે માતા રૂપે જગતની પ્રેરકશકિત છે. એવી જ રીતે મૈયા શબ્દથી વાત્સલ્ય સ્વરૂપા શકિતનું ભાન થાય છે જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બન્ને નિહિત છે. આમ અને મૈયા શબ્દો પાછળની બધા ધર્મની પ્રેરકશકિતઓ જે પૂર્ણ વાત્સલ્યભાવ પ્રગટાવવા સમર્થ છે તેનું સૂચન થતું હોય છે. છે. એટલે વિશ્વ અને મિયા એટલે વાત્સલ્યભાવ એ રૂપે તેને વિશ્વવાસલ્યના સંપૂર્ણ પ્રતીક રૂપે બીજમત્ર તરીકે લેવામાં આવ્યો છે. અહીં % અને મૈયા બે શબ્દોને અલગ રાખવામાં આવ્યા નથી પણ એકબીજાથી સંકળાયેલા રખાયાં છે. એ બન્નેને જોડનારૂં » શબ્દની પાછળની રેખા પૂછડીની જેમ ૩ નિશાન છે. એ બને શબ્દ મળીને જે અર્થો ફલિત થાય છે તે આ પ્રમાણે છે – મૈયા એટલે વિશ્વની માતા ! » મૈયા એટલે વિશ્વ પ્રત્યે વત્સલતા; » મૈયા એટલે ભગવાન સત્ય અને ભગવતી અહિંસા, » મૈયા એટલે વિશ્વની મહાનિયામિક શક્તિ, » મૈયા એટલે પંચ પરમેષ્ઠીની પ્રવચન માતા, » મૈયા એટલે જીવન અને જગતની મહાનિયમા શક્તિ, » મૈયા એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશરૂપ ઈશ્વરત્રયની કત્વ શક્તિરૂપ જગદંબા. છે મૈયા એટલે જગતની પ્રેરક શક્તિ. બધા ધર્મો, બધા દર્શને અને બધી વિચારધારાને સમન્વય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy