________________
પક્ષની વચ્ચે સમતુલા જાળવી રાખવી. ઘણું એને અર્થ તટસ્થ રહેવું એમ પણ કરે છે. તે અમુક અંશે ઠીક છે. પણ નિતાંત એને જ સત્ય ન માની શકાય ! - સાચી તટસ્થતા ત્યાં જ આવી શકે, જ્યાં પહેલાં તદાત્મતા (એકરૂપતા) તેની સાથે મેળવી લીધી હોય. એક માતા જેમ બાળકની સાથે એકરૂપતા સાધી લે છે, પણ જ્યારે બાળક તેનું કહેવું માનતું નથી, અનિષ્ટ માર્ગે જતાં નિવારવાં છતાં તે ઈષ્ટ માર્ગે વળતું નથી, ત્યારે માતા કોઈ વખત તટસ્થતા એટલે કે પ્રેમમય અસહકાર સ્વીકારે છે, તેની અસર બાળક ઉપર પડે છે, તે માતાના તથી પિતાના અનિષ્ટ વર્તનને છોડવા તૈયાર થાય છે. એવી રીતે જ વિશ્વ વાત્સલ્યસાધક તટસ્થતા ત્યારે જ સાધી શકે, જ્યારે જગતના પ્રાણી
એ. સવિશેષે માને સાથે તાદામ્ય સાધી લીધું છે. માત્ર તટસ્થ રહેવું કોઈ સાધકની સામે અનિષ્ટ કરતું હોય, ખરાબ રીતે સમાજમાં વર્તન કરતું હોય, તે વખતે સમાજને જવાબદાર સાધક જે કંટાળીને ઉદાસીન થઈ જાય, તટ એટલે એક કોરે જઈને સ્થિત થઈ (બેસી) જાય, તો તે “તીરે ઊભા જુએ તમાશા” જેવી કહેવત પ્રમાણે તે અનિષ્ટ પ્રત્યે આંખ મીંચામણાં કરી, આડકતરી રીતે તે અનિષ્ટને વધારે છે.
તટસ્થતાને અર્થ એમ પણ છે કે બે પક્ષો વચ્ચે તે તટસ્થતા રાખે એટલે કે કોઈના મતે દેરવાઈ ન જાય! પણ વિવેકબુદ્ધિઓ સારા-નરસાંના ભેદને પારખી શકે.
માધ્યસ્થ ભાવને મધ્યસ્થ વ્યક્તિના ભાવ તરીકે ઓળખવો એ બરાબર થશે. જ્યારે પણ કોઈ બે પક્ષમાં ઝઘડે થાય ત્યારે એક મધ્યસ્થની નિમણુંક કરવામાં આવે છે. તેનું કામ બે પક્ષો વચ્ચે સમાધાન કરાવવાની સાથે ખરાને ખરૂં અને ખોટાને ખોટું કહેવાનું હોય છે. છે ઘણું વાર આંખ આગળ ઉપદ્રવ થતા હેય, અનિષ્ટો ચાલતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com