________________
વિશ્વવાત્સલ્યનું સર્વ પ્રથમ ક્ષેત્ર કુટુંબને ગણવામાં આવે છે. કુટુંબમાં જ પ્રાગરૂપે વિધવાત્સલ્ય રસ તૈયાર થાય છે. એટલે કૌટુંબિક ક્ષેત્રનું એકમ “ઘર” થશે. ઘરમાંથી જ પ્રેરણ, સંસ્કાર અને શિક્ષણ વગેરે મળે છે. વાત્સલ્યને પ્રવાહ જ્યાંથી શરૂ થાય છે તે ઘર છે. ઘર એટલે ઈટ અને ચુનાની ભીતે કે ઈમારતે નથી. ઘરમાં વસતી ગૃહિણું માતાને લઈને જ એ ઘર કહેવાય છે. કુંવારા, વાંઢાઓનાં ધરને કઈ ધર ગણતું નથી. એનું કારણ એ જ છે કે ગૃહિણી વગરનું ઘર, એ ઘર નથી. એટલે ઘર વડે જ્યારે વાત્સલ્ય રેડવાની વાત થાય છે ત્યારે સહેજે ઘરની ગૃહિણને માધ્યમ તરીકે માની શકાય છે. આ
જગતની માતાઓમાં–ભારતની માતાઓનું સ્થાન અનેખું છે. તેઓ નાનપણથી જ બાળકોમાં વિશ્વ વાત્સલ્યના સંસ્કાર રેડે છે. તેમનું પિતાનું બાળક હોવા છતાં પણ તે કહે છે કે તે ભગવાનનું બાળક છે; અને આમ તેને વિશ્વનું બનાવે છે. આદર્શ માતાઓ નાનપણથી પારણું ઝૂલાવતાં બાળકોમાં સંસ્કારો રેડે છે. તેનામાં વિશ્વ વાત્સલ્ય પ્રગટાવે છે.
“ જન માતાઓ એવી આદર્શ અને વિશ્વ વાત્સલ્ય.ભાવનાવાળી થઈ ગઈ છે કે જેના ઘણુ દાખલા આપી શકાય છે. જ્યારે જૈન બાળક દીક્ષા લે છે ત્યારે આજ્ઞા આપતી વખતે જૈન માતા કહે છે: – બેટા ! હવે તું દીક્ષા લઈને એવી કરણું કરજે કે આખું વિશ્વ તારું કુટુંબ બને તુ વિશ્વવાત્સલ્ય સાધીને મોક્ષ મેળવજે અને મારી કુખને ઉજાળજે.”
ઘણું ક્ષત્રિય માતા પિતાના પુત્રને પારણામાં ઝૂલાવતી વખતે સુંદર હાલરડાં ગાતી ગાતી સુંદર પ્રેરણા આપે છે: “હું તને જે ધોળુંઉજળું દૂધ પાઉં છું તેમાં કાયરતાને કાળો ડાઘ ન લગાડજે. મારી કૂખને દીપાવજે અને મેંટો થાય ત્યારે આખા વિશ્વને જીતજે. (તલવારથી નહીં, પણ પ્રેમથી હદય જીતીને.) રાજસ્થાનમાં આ હાલરડાં–લોરીને નામે પ્રસિદ્ધ છે. માતાઓ પારણુમાં બાળકને ઝુલાવતી ઝુલાવતી તેને વિશ્વના કલ્યાણ માટે ઉપયોગી બનાવે છે. તેને વિશ્વને ઉપયોગી બનવાનું સુંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com