SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૭ મને થયું કે પરિવ્રાજક ઉપર લોક-શ્રદ્ધા કેટલી? આજના પરિવ્રાજકો જે ભેમા બેસી શકતા નથી, જેમને દ્રષ્ટિકોણ, આત્મા સાથે વિશ્વસેવાના સમન્વયનો પણ નથી, ત્યાં આ બધું માત્ર એની મેળે વિચારથી જ થઈ જશે એમ માનવું એને નરી કલ્પના સિવાય શું કહી શકાય ? એટલે સાફ કહ્યું: “રામાયણ યુગથી જે નથી બન્યું, તે હકીકત આપણે નકારી નહીં શકીએ. તે પછી એ માર્ગે સમાજઘડતરની વાત સ્વીકાર્યા સિવાય રાજ્ય ન જોઈએ એને શું અર્થ ?” અલબત વિનોબાજીમાં જ્ઞાન છે, તક છે, ત્યાગ છે, બાપુજીના સત્સંગની અસર છે, પણ મારા નમ્ર મતે સમગ્ર દૃષ્ટિ અને એ મુજબને વહેવાર જે રીતે બાપુ ગોઠવતા તે અનુભવ હજુ બાકી છે. ગુંદીનાં કાર્યો અને કાર્યકરો તેમજ જનતાને જોઈને તેઓ પ્રભાવિત થયેલા જણાયા. એટલે આપણે આશા રાખીએ કે સર્વોદય જ્યારે વહેવારૂ રૂપ પકડશે ત્યારે ભાલનળકાંઠા પ્રયોગનું કાર્ય તેના માટે માર્ગદર્શક બની રહેશે. મારા નમ્ર મતે આજે લોકનીતિની વાત કરવા કરતાં લોકનીતિનું પ્રત્યક્ષ ઘડતર કરવું સર્વ પ્રથમ જરૂરી છે. એ લોકનીતિ એવી ઘડાવી જોઈએ જેની છાપ અને પ્રભાવ લોક ઉપર પડે. આ કામ જોઈએ તે વિનેબાજી કરે કે જોઈએ તે સંતબાલજી કરે. અમારે એ અગે કશો વાંધે કે વિરોધ નથી. નામ ગમે તે હોય પણ કામ જોઈએ. કામ વિનાની વાતો અંતરની શ્રદ્ધા જમાવી શકશે નહીં. સંતબાલજીએ પ્રત્યક્ષ વહેવારમાં અમને અમારા દ્વારા કરી બતાવ્યું છે એટલે અમને તેમના પ્રતિ શ્રદ્ધા જામી છે. અમને રાજનીતિમાં નબળાઈઓ સ્પષ્ટ દેખાય છે. દા. ત. કેરલમાં જોડાણ થયું; દ્વિભાષી પ્રયોગ તોડી નંખાયો, જેની પાસે ત્રીસ વર્ષ પહેલાં કંઈ ન હતું. તેની પાસે વ્યાસી (૮૩) લાખ રૂપિયા નીકળ્યા. આ બધી બાબતે અમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy