________________
આગળ લાવવી જોઈએ. ડાંક વર્ષોમાં વિવિધ આંદલથી માણસે એવા તૈયાર થાય કે પછી આખે સમાજ સહેજે બદલાઈ જાય ! અથવા, હિંસા કે દંડ આવે તોયે થોડાં આવે, એવી એની પાછળ નેમ છે. પણ કાર્યકરે ઓછા અને સંઘશકિતને વિરોધ એટલે સર્વોદય સક્રિય સફળ બની શકયું નથી. * એ માટે વિશ્વ વાત્સલ્યની વિચારધારા નવો પ્રયોગ કરી રહેલ છે. તે પરિસ્થિતિ પરિવર્તનની સંઘ શક્તિને વ્યવસ્થિત કરવી, અને ધીરે ધીરે એ વ્યવસ્થિત સંધશક્તિ રાજ્યને ભાર ઉઠાવી લે અને રાજ્ય નિવૃત્ત થતું જાય એ યોજના વિશ્વવાત્સલ્યની છે. એટલું જ નહીં તે કલ્યાણરાજ અને સર્વોદયના ચાલુ પ્રવાહને અનુબંધ જાળવીને દુનિયાના પ્રવાહે સાથે આગળ વધી રહ્યું છે.
કલ્યાણરાજ પહેલું પગથિયું છે. જનશક્તિમાં વિચાર ભરવાનું અને નવી સ્મૃતિ રચવાનું કામ વિનોબાજીએ કર્યું છે. કરી રહ્યા છે. એથી વિચારોની સાથે ઉદય પરિવર્તનની દિશામાં ઠીક ઠીક પ્રગતિ સધાઈ છે પણ જે વેળાસર પરિસ્થિતિ પરિવર્તન ન થાય તે તે પ્રગતિ થઈ ન ગણાય ! ઉલટું અટકી જવાય અને ઉંધું પરિણામ પણ આવે. એટલે વિશ્વ વાત્સલ્ય પ્રવાહ તેને યથા સમયે યોગ્ય સામગ્રી પૂરી પાડી રહ્યો છે. ટુંકમાં ત્રણે સંબંધિત છે અને એકમેકના પૂરક છે.
વિશ્વ વાત્સલ્ય પ્રવાહ કલ્યાણ રાજને તેડતા નથી છતાં પણ સંશોધન તે કરે છે. જેમકે ગણેતધારા શુદ્ધિપ્રયોગ વડે વિશ્વ વાત્સલ્ય કલ્યાણરાજની કાર્યપદ્ધતિમાં કલ્યાણકારી સંશોધન કરાવ્યું.
ઘણું કહે છે કે એવા શુદ્ધિ પ્રયોગથી આગ્રહ લદાય છે. એ ખરું છે કે લોકો જાગૃત થઈ સત્ય અને અસત્યને છૂટાં પાડે છે અને સત્ય જરૂર લદાય છે. - દંડી સન્યાસી ગેપાળ સ્વામી : અનિષ્ટને શિક્ષા મળે એ દંડ નથી, સત્ય લદાય એ દુરાગ્રહ નથી; એ તે શિક્ષણ અને સત્યાગ્રહ છે. તે ન રહે તે સમાજ ટકી ન શકે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com