________________
૨૦૪
નહીં. કેવળ માનવ જ નહીં, પશુપતિ પણ અબ્રાહમ લિંકને આત્મીયતા દેખાડી હતી. તેથી જ તેમણે કીચડમાં પડેલ ભૂલને કપડાંની દરકાર કર્યા વગર કાઢયું. તેમના કપડાં ઉપર છાંટા ઉડયા પણ તેમણે એવી ખોટી ઈજજતની દરકાર ન કરી અને તેઓ સમયસર અદાલતમાં પહોંચ્યા. દાદુ ભગતને દાખલ :
ખેડા જિલ્લામાં દાદુરામ ભગત થયા છે. તેમણે દરિયા કાંઠાના ધુવારણ ગામે જતાં, એક સાંઢને ભાંભરતા સાંભળ્યા અને તેની આસપાસ સમડીગધનાં ટોળાં જોયાં. ભજનના બદલે ત્યાં જ સેવા કરવા મંડી પડ્યા. મેટું વજનદાર જનાવર ! ચાર દિવસ ખાધા-પીધા વગર તેની સેવા કરવામાં લાગી ગયા. ચાર દિવસે તેના માલિક દેખાય. જે વિશ્વ વાત્સલ્યની નિષ્ઠા ન હતા તે તેઓ આવે વખતે આટલું ન કરી શકત.
આપણે તે આવી વ્યક્તિગત સાધના ઉપરાંત, સમુદાયગત અને સંસ્થાગત અનુબંધવાળી સર્વાગીક્રાંતિની વાત કરી રહ્યા છીએ, એટલે એ તે આનાથી આગળની વાત છે. પરિગ્રહ-પ્રાણુ અને અભિમાનને ત્યાગ
શ્રી સુંદરલાલભાઈ કહે: “આપણે પરિગ્રહ, પ્રાણ અને અભિમાનને સંપૂર્ણ ત્યાગ નહીં કરતા શીખીએ તે સર્વાગી ક્રાંતિ આવી શકશે નહીં. આજે તે બધું ત્યાગ કરનાર ભક્તો, તે પણ અજ્ઞાનતા અથવા અભિમાનથી પિતાનું સ્થાન ગુમાવે છે. નારદજીને અભિમાન થયું એટલે એક નાના ભકતે કરી બતાવ્યું. તે તેમનાથી થઈ શક્યું નહીં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com