________________
૧૮૫ ભલે એ વેદિયા-વેડા કહેવાય, ખરેખર એજ સાચો સ્પષ્ટ માર્ગ જણાય છે.” નીતિનિષ્ઠાથી વિવેક
બ્રહ્મચારીજી : “નીતિનિષ્ઠા હોય તે કર્મકાંડમાં વિવેક આવી જાય છે. કીડીઓને સથવા નાખનાર એક બહુ હૃદયવાન શેઠ હતા. એકવાર તેમને વિચાર આવ્યો : “આ કીડીઓ સહિત લોટ કુતરૂં ચાટશે તો દયા કરતાં કુદયા થઈ જશે.” એટલે તેમણે કાંટાની ઝાડીઓ એ લોટ ઉપર મૂકી કીડીએ તેથી બચી ગઈ કહેવાનો મતલબ એ કે ધર્મ કે વ્રતમાં આ વિવેક નીતિનિષ્ઠાના કારણે જ આવે છે; એમ લાગે છે.
બળવંતભાઈ : “નીતિનિષ્ઠા હેય તે આંધળું અનુકરણ પણ મટી જાય.” એક માણસે અમદાવાદમાં ધર્મરાજ યુધિષ્ઠિરનું ખોટું અનુકરણ કરી જુગારમાં પિતાની સ્ત્રીને મૂકી હતી. ખરેખર તે; આવા મહાપુરૂષે પણ આવા માર્ગે ગયા, તે તેમણે ભૂલથાપ ખાધી તે બોધ લઈ જુગારને છંદ મૂકી જોઈએ.
માટલિયા : “ધર્મને લક્ષમાં રાખી સહિયારી નીતિ ઘડાય તે નીતિ ગણાય.”
મુનિશ્રી સંતબાલજી : “અહીં નીતિનિષ્ઠાને અર્થ, દર્શનજ્ઞાનના રૂપમાં લેશો તે વધુ સ્પષ્ટ થશે. વિશ્વ વાત્સલ્યનું દર્શન સ્પષ્ટ થયા પછી જ આચાર વિશ્વ વાત્સલ્યને માર્ગે થશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com