SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ૩ અને પ્રયોગોના અભાવે તે મનની કલ્પના માત્ર બનીને રહી જાય છે. એ અંગે એક દાખલ જોઈએ. સર્વોદયમાં “શાસનમુતિ” અને “શાસન નિરપેક્ષતા અને નિર્દેશ કરવામાં આવ્યો પણ કાર્યકરે એમાં ઊંડા ઊતરીને વિચારતા નથી તેથી જનતા આગળ શાસનમુકિતને વિચાર મૂકે છે. સત્તાસીન સરકાર (શાસન)ને વોટ આપવા જનતાને ના પાડે છે; શાસનથી અલગ રહેવાની વાત કરે છે પણ કોઈ નિશ્ચિત પ્રયોગ કે કાર્યક્રમની વ્યવસ્થા વગર જનતા રોજ-બ-રોજના જીવનમાં આવી પડેલા રાજકારણના પ્રશ્નોથી ઘડાતી નથી. એટલે ઘણું વાર બને છે એમ કે છેવટે રાજ્ય કે રાજનીતિ દાંડ તત્તના હાથમાં રમી જાય છે. અહીં વિચારવાનું એ છે કે સર્વોદયને રાજનૈતિક દ્રષ્ટિકોણ, વિધવાત્સલ્ય કે કલ્યાણરાજ્યની સાથે કયાં કયાં બંધ બેસે છે ? કયાં કેટલો સમન્વય થઈ શકે? કોણ કયાં કેવી રીતે કેટલી પૂર્તિ કરે ? આ બધું ઊંડાણથી વિચારવાનું છે. સર્વોદયના રાજનૈતિક વિચારનું મુખ્ય સૂત્ર છે : “રાજનીતિને બદલે લોકનીતિ જોઈએ !” આપણા દેશમાં તો શરૂઆતથી રાજા રાજ્ય કરતો હતો અગર તો ગણતંત્ર ચાલતું હતું કે સમવાયી તંત્ર ચાલતું હતું. ત્યારથી જ લેકની નીતિ પ્રમાણે રાજ્ય ચાલતું હતું. રાજા રાજ્યને અધિકારી રહેતે પણ, એ અધિકાર અને પ્રજા અને પ્રજાસેવકો (બ્રાહ્મણ)ની સમ્મતિથી અને ઋષિમુનિઓના અભિપ્રાયથી મળતો હતો. એટલે રાજા નિરંકુશ અત્યાચારી કે આપખુદ બની જતો ત્યારે પ્રજા એના ઉપર દબાણ લાવી અંકુશ મૂકતી કે તેને પદભ્રષ્ટ કરતી. રામને ધોબીના એકવચનના કારણે સીતાને વનવાસ આપવાની ફરજ પડી. એ લોકનીતિનું દબાણ હતું. ધોબીને આશય એ હતું કે પ્રજાની સ્ત્રીઓ પણ “સીતાને રાવણને ત્યાં ભલે પરાણે રહેવું પડ્યું;” પણ એવા બહાના તળે રવછંદ ન બને. એટલે રામ પોતાના જીવન ઉપર ૨૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy