________________
ત્યાં જન સંગઠન અને જનસેવક સંગઠન ગોઠવ્યાં અને ત્યાંનો ઉકેલ આયે. આ સંસ્થાઓ અગાઉ નહતી.
રાજસ્થાનમાં સર્વોદય કાર્યકરોએ કહ્યું “કાંગ્રેસની વાત છેડી દે! બાકી બધી યોજના બરાબર છે. કોંગ્રેસને ટેકો આપવાની વાત છોડે તો અમે તમને સહયોગ આપી શકીએ!”
પણ, એ તે પાયાની વાત હતી. જે તેને છોડવામાં આવે તે આખો પાયો ડગમગી જાય. સંઘર્ષ થશે એટલે ડરીને ભાગવાથી શુદ્ધિ કેવી રીતે થાય? એટલે વિશ્વવાત્સલ્યના સાધકે ચારે સંસ્થાના અનુબંધને સર્વાગી ક્રાંતિ માટે મહત્વ આપવું જોઈએ અને તેમાં જરા પણ ગફલત ન રાખવી જોઈએ.
ભાલ નળ કાંઠા પ્રયોગમાં એક ખૂબી એ પણ છે કે ત્યાં ઘણું સંસ્થાઓ ચાલે છે. ત્યાં જે કર્તવ્યભાવે કે પ્રાયશ્ચિતરૂપે મદદ આપે છે તેની મદદ માનભેર સ્વીકારવામાં આવે છે પણ, તેની કોઈ જાહેરાત થતી નથીછાપામાં નામ અપાતું નથી કે પાટિયાં લગાડવામાં આવતાં નથી, (૫) ધર્મદષ્ટિએ સપ્ત સ્વાવલંબન :
વિધવાત્સલ્યની નીતિનિષ્ઠાનું પાચમું સૂત્ર છે કે ગામડાઓ કે શહેરોમાં સપ્ત સ્વાવલંબનનું કાર્ય ધર્મદષ્ટિએ ચાલશે, માત્ર અર્થદષ્ટિએ નહીં. એમાં આર્થિક દૃષ્ટિએ નબળા માટે સબળાને ઘસાવાનું આવશે પણ તે ધર્મ કર્તવ્ય કે પ્રાયશ્ચિયતની ભાવનાએ જ. જે સ્વાવલંબનનું કાર્ય આર્થિક દૃષ્ટિએ ચાલે તો તેમાં સરકારી હપ્તાઓ કે મદદ લઈને ચલાવવાનું થાય. એથી કાર્યકરોની દૃષ્ટિ કેવળ પગાર પૂરતી જ રહે અથવા ગરીબોને રેજી મળે છે એ પૂરતી રહે. પણ અહીં તો ગામડાઓએ મળીને નૈતિક શકિત જાગૃત કરી સપ્ત સ્વાવલંબન સાધવાનું છે, ગામડાંઓએ કૌટુંબિક ભાવનાઓથી બંધાવાનું છે તે ધર્મદષ્ટિએજ શક્ય છે. એનો અર્થ એ નથી કે સરકારી મદદ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com