________________
૩૨.
વગેરેને કાઢવાં પડશે. બાકી સંગઠન થતાં શકિત કેવી ખીલે છે તેને એક નમૂને મજૂર મહાજન સંઘ છે. આજે મિલ માલિક અને મજૂરો ખભેખભા મેળવીને કામ કરે છે. ૧૯૪૯ માં નિરાશ્રિતો આવ્યા અને છાવણીમાં વિશ ઇયે વરસાદને લીધે પાણી ભરાયું. ત્યારે અડખે પડખેનાં ગામને સાદ પાડી કહેવડાવતાં પુરી, રોટલા, શાક વગેરે એટલું બધું આવી ગયેલું કે આશ્ચર્યરૂપે સંગઠિત શક્તિને ખ્યાલ આવ્યો. સુરતની તાપી રેલ વખતે, લાખ રૂપિયા, અનાજ, કાપડ વગેરે ગયું જ હતું. આમ આજે પણ વેરવિખેર પડેલી શકિત નિમિત્ત મળતાં પર બતાવે જ છે. દૈવી શક્તિ જાગતાં, આસુરી શકિત આપમેળે ઠંડી પડી જશે. બાપુજીએ-ગાંધીજીએ એ જ કાર્ય કર્યું હતું ને!
શ્રી શ્રોફ ઃ વિવવાત્સલ્યના કાર્યક્રમમાં, સમજણ પડતાં મને હવે પૂરી શ્રધ્ધા બેસી ગઈ છે. કોડીએ-કોડીયું સંધાતા જગતભરમાં એ દીપી ઊઠશે ! સવારનું પ્રવચન પદ્ધતિસરનું યોગ્ય હતું :
પૂ. શ્રી સંતબાલજીએ ત્યારબાદ બેલતાં કહ્યું: “સવારે માટલિયાએ “સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપે, સર્વત્ર શાંતિ વિસ્તરે,” એ મંત્રને કાર્યક્રમ, સપ્તસ્વાવલંબન, જગતની વિષમતાઓનું નિવારણ, ગુણવૃદ્ધિ અને વિશ્વશાંતિ માટે યુનો અને કોગ્રેસનું રક્ષણ એ બાબતે ઉપર કહીને મારો અભિપ્રાય માંગ્યો હતો. મારો અભિપ્રાય એ છે કે “એમણે જે પિતાની આગવી શૈિલીથી પ્રતિપાદન કર્યું છે તે ઘણું જ યોગ્ય છે.” પરદેશની બાબતોના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ કરાવવી પડશે :
પરદેશ સાથેના સવાલોના ઉકેલમાં બે વસ્તુઓની પ્રતીતિ આપણે તેમને આપવી પડશે :-(૧) હિંસા દ્વારા તાત્કાલિક પ્રશ્નો પતતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com