SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૧ ચૂને ઉપર પ્રભાવ પાડવામાં ટાંયા પડે એવાં છે. યૂનેરકો આજે પૂના સંચાલનની નીચે છે; એટલે અને પૂર્વોક્ત પરિસ્થિતિને જોતાં આજે જે સ્થિતિમાં “ધૂને” છે તે દ્વારા વિશ્વને અનુબંધ ગોઠવાય તે માટે કોગ્રેસને વિશ્વનું વાહન બનાવવા મથવું જોઈએ. કોંગ્રેસને જ મહત્વ આપવાનું કારણ એટલું જ કે દેશમાં એ એક જ સંસ્થા એવી છે જેની ભવ્ય કારકદીને ભૂતકાળનો ઈતિહાસ છે. બાપુ દ્વારા સત્ય અને અહિંસાની દિશામાં ઘડતર અને દોરવણું જેને મળેલ છે, પંડિત નેહરૂ દ્વારા, એની મારફત આંતરરાષ્ટ્રિય ક્ષેત્રમાં શાંતિ અને પંચશીલની વાત અમલમાં મૂકાવવાની વાત થાય છે. આ બધું જોતા વિશ્વ-એકતાનું વાહન તે બની શકે એમ છે. કેગ્રેસમાં વાસ્તવિક્તા છે. નક્કર કાર્યક્રમ પણ એની પાસે છે, માત્ર એની શુદ્ધિપુષ્ટિ કરવાની જરૂર છે; જનસંગઠન અને જનસેવક સંગઠને દ્વારા થાય એ જ બરાબર છે. વળી પાછું એકવાર યાદ અપાવી દેવું ઠીક થશે કે “વિશ્વમાં શાંતિ પ્રસરે તે માટે કઈ કઈ સંસ્થાઓ કેટલું કામ કરી શકે? અને તેવી સંસ્થાઓની પસંદગી શા કારણે કરી શકાય ? તેના સંદર્ભમાં આ વિચારણું થઈ છે. આ બધાં સંગઠન-સંસ્થાઓ પાસે વિશ્વશાંતિ તરફ ગતિ કરવાની શક્તિ છે એનો વિચાર થઈ ચૂકી છે. વિધવાત્સલ્ય શું કરી શકશે: વિશ્વ વાત્સલ્યના આ કાર્યક્રમે આખી દુનિયાને તરત બદલી શકશે એમ કહેવું વધારે પડતું થશે. તે કોંગ્રેસને પણ બદલી શકશે કે કેમ એ પણ ચોક્કસપણે ન કહી શકાય. પણ, એનાં પગલાં સાચી દિશામાં છે એટલે આ ચાર કાર્યક્રમો આશાસ્પદ છે. આ કાર્યક્રમ દ્વારા સત્ય અને અહિંસા પ્રગટ થઈ શકશે. આની સાથે એ પણ ન ભૂલાવું જોઈએ કે જ્યાં સુધી વિશ્વની દષ્ટિએ ધર્મની (અહિંસા, સત્ય ન્યાયની) રૂએ દરેક પ્રશ્નને ન સ્પર્શવામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy