________________
૧૩૨
ઘાટ ઉપર હરિજન સ્પર્શ સ્વીકાર્યો જ છે. રામાનુજાચાર્યને શિષ્ય અહોવાહ અત્યજ હતો. સ્ત્રીને તજી પણ અહેવાહને તેમણે ન ત. વલ્લભાચાર્યના શિષ્યોમાં રસખાન પઠાણ, મંગલ ચંડાળ પણ હતા. મીરાંબાઈનાં ગુરુ રૈદાસ ચમાર હતા. શિષ્યાને પૂજાય અને ગુરુને ન અડાય એ તે કઢંગપણની પરાકાષ્ઠા જ છે. આ ભૂલો આપણે સુધારતા નથી. કોઈ કાંતિપ્રિય સુધારે તે ગ૭ બહાર, સંધાડા બહાર અને નાતબહાર કરીએ છીએ. A ૮૪ વૈષ્ણ અને ર૫ર વૈષ્ણવોની વાર્તાઓમાં બધા વર્ષે સાથેના ધર્મસબધે આવે છે, એક કાશીના પંડિતે અત્યજ-સ્પર્શ માટે એક જ શ્લોક છે એમ ગાંધીજીને લખ્યું. ગાંધીજીએ “ઊંટનું લાકડું” (ઊંટ ઉપરના લાકડાના ભારામાંથી એક લાકડું કાઢીને મારવું) એ ન્યાયે એજ લોક બસ છે એમ કહી પરાજય કર્યો. લોક કદાચ આ પ્રમાણે પણ છે :
દેવયાત્રા-વિવાહેબુ, સગ્રામે દેશવિપ્લવે
ઉત્સવ ચ સર્વેષ સ્પર્શ સ્પર્શ ન વિદ્યતે” ટુંકમાં દુર્ગુણ અસ્પૃશ્ય હેઈ શકે-માણસ નહીં.
અસ્પૃશ્ય નિવારણ અને સિદ્ધરાજ
મહમ્મદ બેગડાની જેમ સિદ્ધરાજ પણ લોકપ્રિય રાજા ગણાય. ધોળકાના મહલાવ તળાવ વખતે મયા” અત્યંજની વાત પ્રસિદ્ધ છે. તે જમાનામાં અત્યંજને કોડિયું મેં આગળ રખાવતા, પૂઠે ઐડિયું રખાવતા. ફાળકો અને ભૂંગળ વગેરે ઉપર કર હતા, તે બધું સિદ્ધરાજે કઢાવી નખાવ્યું. એટલું જ નહીં એ અત્યંજના સમાજની પ્રતિષ્ઠા પણ કરાવી. ખીજડાનું લાકડું માણેકથંભમાં નખાવ્યું, ભૂંગળના ત્રણ ટુકડા હોય તેને લગ્નનું વાજું બનાવ્યું. ફાળકો વર કન્યાને અર્પિત થયે અને કેડિયું લગ્નમાં મંગળરૂપ ગણી રખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com