SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ રાજ્યમાં જે ભ્રષ્ટાચાર છે તેની વિરૂદ્ધ કેવળ વિચાર પ્રગટ કરવાથી, કામ થતું નથી. ચારેય સંસ્થાઓના અનુબંધ દ્વારા ગ્ય રીતે, કાનૂન ભંગ કર્યા સિવાય, નૈતિક પ્રતિકાર કરવામાં આવે તેજ એ કામ થઈ શકે. ચારેય સંસ્થાઓ-લેખસંગઠન, લેકસેવક સંગઠન, રાષ્ટ્રીય મહાસભા અને ક્રાંતિપ્રિય સાધુઓના અનુબંધેની વાત આજના સર્વોદયમાં નથી. તેને પાયે વ્યક્તિવાદ ઉપર મંડાયો છે. એટલે ધાર્મિક ક્ષેત્રે વિચારક અને કાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ અને સન્યાસીઓ, વાનપ્રસ્થાશ્રમીઓ કે સાધકો સાથે અનુબંધ ન હોઈને ધર્મક્ષેત્રમાં જે અનિષ્ટો છે, વિષમતા છે તેની શુદ્ધિ અદ્યતન સર્વોદય કરી શકતા નથી. સામાજિક ક્ષેત્રમાં પણ વ્યક્તિગત રીતે વિનોબાજી કેટલા પ્રશ્નો ચર્ચે છે પણ તે દિશાર્મા સંસ્થા કે સંગઠન વડે એ પ્રશ્નોને ઉકેલ લાવતા નથી. એટલે સમાજનું ઘડતર સર્વોદય કરી શકતું નથી; એની સાથે નવાં મૂલ્યોની સમાજમાં સ્થાપના પણ કરી શકતો નથી. બધા ક્ષેત્ર અંગે એજ રીતે વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવશે કે આર્થિક ક્ષેત્રને અધતન સર્વોદય કેવળ આધ્યાત્મિક પુટ આપવાનું એક માત્ર કાર્ય કરે છે. તે સિવાયના ધાર્મિક, સામાજિક, રાજનૈતિક શિક્ષણ અને સંસ્કૃતિ સંબંધી દરેક ક્ષેત્રનાં અનિષ્ટ રૂપી અંધારા ઉલેચવાનું કાર્ય ન થાય તે સર્વોદય (સર્વક્ષેત્ર-ઉદય) ક્યાંથી થઈ શકે? આ છે આજના અદ્યતન સર્વોદયને વ્યક્તિવાદ ઉપરને પાયે અને તેનાં પરિણામે. મહાત્મા ગાંધીજીએ બધાય ક્ષેત્રનાં અનિષ્ટ-અંધકાર ને મટાડવા માટે અનુબંધ યુક્ત સત્યાગ્રહની અહિંસક પ્રક્રિયા ઊભી કરી હતી પણ અધતન સર્વોદયમાં એ વાત સ્વીકારવામાં આવી નથી. એથી આજના સર્વોદયમાં સમાજની વાત થાય છે, વિચાર–પ્રચાર પણ થાય છે પણ તે વ્યક્તિ દ્વારા ક્રાંતિની વાત થાય છે તેની સંગતિ વ્યાપક પ્રક્રિયા કે સમાજ ઘડતરની પ્રક્રિયા ઉભી કરાતી નથી. એટલે વ્યક્તિ દ્વારા ક્રાંતિ થવાની વાત આકાશ-કુસુમ જેવી બનીને રહી જાય છે. વ્યક્તિ ક્રાંતિની પ્રેરક હોઈ શકે પણ એ પ્રેરણા પામનાર કોઈ સંગઠિત સમાજ કે સંધ ન હોય તે તે વ્યક્તિની સાથે જ વિરમે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy