________________
૧૧૩
આવે તે તેને પણ એને માન્ય કરવું પડશે. દરેક ધર્મોના શબ્દોમાં ફેરફાર હોઈ શકે. કોઈ એને વિવપ્રેમ કહેશે, કોઈ વિશ્વભાવતા કહેશે તે કોઈ વિશ્વબંધુતવ કહેશે! કોઈ વિશ્વમૈત્રી રૂપે રજૂ કરશે તો કોઈ અતભાવ રૂપે કોઈ સામાયિક સ્વરૂપે સમજાવશે તે કોઈ બ્રહ્મવિહાર રૂપે કોઈ આત્મૌપમ્પ કહેશે તો કોઈ આત્મવત સર્વભૂતેષુ કહેશે. આમ અલગ અલગ શબ્દોની પાછળ ભાવનાને વિચાર કરવામાં આવે તો તે વિશ્વ વાત્સલ્યની ભાવના જ હશે. એટલે વિધવાત્સલ્યના વિચારનું ખેડાણ, આપણું ઋષિઓએ કર્યું છે અને હજારે વર્ષોથી સંતે, ભક્તી, શ્રમ, ઋષિ-મુનિઓ વિશ્વ વાત્સલ્યના વિચારોનો ઉપદેશ, વ્યાખ્યાન, લેખ કે સંદેશ રૂપે પ્રચાર કરતા રહ્યા છે. તે ઉચ્ચ વિચાર ભારતના લોકોને ગમ્યો પણ છે. ઉચ્ચ વિચાર અને તેના ઊંડાણભર્યા પૃથક્કરણને પરિણામે અહીં છ દર્શને આલેખાય છે.
આ વિશ્વવાત્સલ્યના વિચારને આચારમાં મૂકવાને પ્રશ્ન આવે છે ત્યારે અનેક નડતરે કે બાધક કારણે ઊભાં થાય છે અને અનેક વાર ભરતી અને ઓટ આવતી નજરે ચડે છે. એનું કારણ એ છે કે વિશ્વ વાત્સલ્યમાં બધા ધર્મો, વાદ, દર્શન, વિચારધારાઓ, વણે, જ્ઞાતિઓ, સંસ્થાઓ તેમ જ રાષ્ટ્રને સમાવેશ થઈ જાય છે. બધાયને પોતપોતાની યોગ્યતા પ્રમાણે સ્થાન મળે છે. એટલે આચારમાં મૂક્તી વખતે ઉપર કહ્યા તે બધાયના અનેક સંસ્કારે આડા આવે છે.
જગદ્ગુરુ શંકરાચાર્ય અદ્વૈતવાદના જમ્બર પ્રચારક હતા. તેમના મત પ્રમાણે જગતમાં આત્માના સર્વત્ર એકત્વને સ્વીકાર કસ્વામાં આવ્યું છે. પણ રૂઢિગત સંસ્કારો તેમને પણ કેટલે આડે આવતા તેને એક દાખલો આ પ્રમાણે છે –
જગદ્દગુરુ શંકરાચાર્ય કાશીમાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરીને પાછા ફરતા હોય છે. તે વખતે સામેથી એક ચાંડાળ તેમને મળે છે. પોતાના પૂર્વ સંસ્કારોના પ્રભાવના કારણે શંકરાચાર્યજી તેને આ ખસવાનું કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com