________________
[૬] વિશ્વવાત્સલ્યની આચાર નિષ્ઠા
[૨૧-૮-૬૧]. –મુનિશ્રી નેમિચંદ્રજી
વિશ્વ વાત્સલ્ય ઉપર વિચારની દ્રષ્ટિએ અત્યાર સુધી સારી પેઠે વિચારાઈ ગયું છે. વિશ્વ વાત્સલ્યની ભાવનાઓ, પાસાંઓ અને એકમે. ઉપર પણ જોઈએ તેટલે પ્રકાશ પાડવામાં આવ્યું છે. હવે તેની આચાર દિશા શું છે તેને વિચાર કરવાને છે. - કોઈ પણ કલ્પના ઘણી જ સુંદર હોય પણ તે જ્યારે આકાર લે છે ત્યારેજ લાખ માણસોને તેની સૌદર્ય કલ્પનાની ઝાંખી થાય છે. એવી જ રીતે વિચારે ગમે તેટલાં સુંદર હેય પણ જો તે આચારમાં ન આવે તો તેની ઉપયોગિતા નહીંવત રહેશે. વિચાર જેટલી જ આચારની જરૂર છે. માત્ર વિચાર કરવાથી સમાજમાં પરિવર્તન કે ક્રાંતિ થઈ જશે નહીં. આચારમાં મૂકતા પહેલાં વિચારો પરિપકવ થવા જોઈએ પણ છેવટે તો તે આચારમાં મૂકાય તે શ્રેણિએ પહોંચવાને પ્રયત્ન થે જરૂરી છે. આજે તો ભારતવર્ષમાં આચારની વધારે જરૂર છે. | વિચારોનું ખેડાણ તે ભારતવર્ષમાં હજારો વર્ષોથી થતું આવ્યું છે. એ ઉચ્ચ વિચારોને પચાવી તેને કાર્યાન્વિત કરવાની જરૂર છે. એ માટે દરેક વિચારકોએ પણ એટલો જ ભાર મૂક્યો છે.
વિશ્વવાત્સલ્યને લાગે વળગે છે ત્યાં સુધી વિચારની દષ્ટિએ દરેક ધર્મોએ તેને માન્ય કરેલ છે અને કદાચ નવી કોઈ ધાર્મિક વિચારધારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com