SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ગોરાસુ શુદ્ધિપ્રયોગ સામાજિક પ્રશ્ન છે. સાળંગપુર શુદ્ધિપ્રયોગ આર્થિક અને ધાર્મિક અને પ્રકારને હતે. એ પ્રશ્નોને જે મહત્વ અપાયું તે બરાબર હતું. ટુંકમાં દરેક પ્રશ્નને તેના ક્ષેત્ર અને સ્વરૂપ પ્રમાણે મહત્વ અપાવું જોઈએ. બને ત્યાં સુધી જાહેરાત ઓછી કરવી; વ્યકિતગત પ્રશ્નને મહત્વ ન આપવું. શુદ્ધિપ્રાગ શબ્દ ન છે એટલે તરત ને તરત ગાંધી-વિચારવાળાઓ કે નવાઓને તે ગળે ન પણ ઉતરે અને સ્વરાજ્ય પછી સત્યાગ્રહનું મૂલ્યાંકન ઓછું થતાં આની પણ કિંમત ઓછી અંકાય એ સંભવ પ્રારંભમાં છે. એટલે બીજી એ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ધીરજ અને ખંતથી ચાલવાનું છે અને ઉતાવળ કરવાની નથી. તેથી ધીરે ધીરે આપોઆપ તેનું મહત્વ સમજાશે. કેટલીકવાર ઉપવાસની અતિશયતાના કારણે સામો પક્ષ ભયમાં મૂકાઈ જાય છે, તેના ઉપર ભારે તીવ્ર દબાણ આવે છે. એના કારણે કેટલીકવાર એને ત્રાગું પણ સમજી લેવાય છે. એટલા માટે વિનોબાજી આ અહિંસક શસ્ત્રને દુરુપયોગ ન થાય તે માટે સર્વ પ્રથમ તે ઉપવાસ કરવાની જ ના પાડે છે. પછી ગ્ય વ્યક્તિ હોય તે માત્ર એકાદ ઉપવાસ કરવાનું કહે છે. તેમને ભય સાચે છે અને ઉપવાસને દુરૂપયોગ થવાની ભીતિ માસ્તર તારાસિંહના ઉપવાસોએ તાજેતરમાં પુષ્ટ કરી છે. શુદ્ધિયોગમાં ત્રીજી એ સાવધાની રાખવાની છે કે તેને વ્યાપક કરવામાં મોટું જોખમ છે. જ્યાં વ્યકિતગત સંબધ અતિ પ્રેમળ હોય, ત્યાં અસહકાર કે બહિષ્કાર વ્યકિતગત હેવો જોઈએ—સામાજિક નહીં. બને ત્યાં લગી આની સાથે બેસવું કે આની સાથે ન બોલવું; આનું ખાવું કે આનું ન ખાવું; આનું પાણી પીવું કે આનું ન પીવું એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy