SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાઓને શ્રાવક બનાવ્યા, એટલે તેઓ તે રાજાઓની યુદ્ધજન્ય હિંસાના ભાગી થયા હતા; એમ નહિ માની શકાય. કે. ' - અહીં પ્રમોદભાવના દેખાડવાની છે તે મુજનો પતિ અને તેમના ગુણે પ્રતિ છે. પછી તે વ્યકિત, રૂપ હેય તે વ્યકિત તરફ, સમાજ રૂપે હોય તો સમાજ તરફ, સંસ્થા હોય તો સંસ્થા તરફ અને રાષ્ટ્ર હેય તો રાષ્ટ્ર તરફ તેના વિશિષ્ટ ગુણે પ્રતિ જ અમેદભાવ છે. આ પ્રદભાવના કેળવવાને ઉદ્દેશ એક જ છે કે જે ગુણોના કારણે જીવનની ઉચ્ચતા અન્યમાં આવી છે તેવી જ ઉચ્ચતા તરફ જવાનું બળ પ્રમોદભાવના ભાવનારને મળે. દુર્ગુણના પ્રભાવને નિર્બળ બનાવી સગુણનું બળ વધારવું એ પ્રમોદભાવનાની રચનાત્મક દિશા છે. કરૂણા–ભાવના : વિશ્વ વાત્સલ્યની ત્રીજી ભાવના કરૂણું કે કારૂણ્ય છે. જગતના જે છ દુઃખી છે; સંતપ્ત છે, પીડિત છે, શેષિત છે તેમના પ્રતિ કારૂણ્ય દાખવવું એ કરૂણ છે. આ ભાવના પણ વ્યકિતથી લઈને સમાજ, દેશ, વિશ્વ અને સમષ્ટિ સુધી વ્યાપક બનવી જોઈએ. કરૂણાભાવના એટલે કેઈન દુઃખને જોઈને દુઃખી થવું એટલું જ નથી પણ, દુઃખને સમજીને તેનું નિરાકરણ કરવામાં તેની સક્રિયતા રહેલી છે. માતાની કરૂણું કેવળ સંવેદના બનીને નથી રહેતી; તે તો પિતાના બાળકના દુઃખને દૂર કરવા માટે જીવન અર્પણ પણ કરી દેવા તૈયાર થઈ જાય છે, એવી જ રીતે વિશ્વ વાત્સલ્યના સાધકની કરૂણું પણ સક્રિય બનીને જગત-જીવનના દુ:ખને દૂર કરવા માટે કામે લાગી જાય છે. આ કરૂણું જ્યારે વિશ્વ વાત્સલ્યના એક અંગ રૂપે પ્રગટે છે ત્યારે કરૂણું કરનારના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન જાગતું નથી. તેને એ પણ ભાન રહેતું નથી કે હું કરૂણું કરું છું. એ એને સ્વભાવિક જીવનક્રમ બની જાય છે! “હું કોઇના ઉપર ઉપકાર કરવા માટે નહીં, પણ આ તે મારો આત્મધર્મ છે અને હું કરું છું !” એવી વાત્સલ્યની ઉત્કટ ભાવનાની સાથે કારૂણ્ય સક્રિય બને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy