________________
પણ, આપણું કાર્ય મર્યાદાને લીધે તે કામ ઉપાડ્યું નથી. બાકી, આજે જે કાર્ય કરે છે તેમાંના અઢાર તે ગામના જ છે. તે પૈકીના પચાસ ટકા તે એક વખતે તેફાની અને ભારાડી હતા. પછી એમાંના સરપંચ થયા. એમ કરતાં કરતાં ગામનું તંત્ર પણ ઠીક થયું.
શાળામાં બાળકો વચ્ચેના પ્રશ્નો બાળકોજ પતાવે છે. રંજાડ, ચોરી વગેરે પ્રશ્નો બાળક બાળક વચ્ચે આવેજ છે, પણ તેને નિકાલ બાંહોમાંહે પતાવી લે છે. તેથી એક તસ્કુ તે ન્યાય કરવાની, વ્યવસ્થા સાચવવાની તેમજ વ્યવસ્થામાં રહેવાની જવાબદારી શીખે છે, સાથે બીજી તરફ ઘડિયાળ ન રાખવું–જશોખ ન કરવા વગેરે ગુણે પણ આપોઆપ આવ્યા છે. કારણ કે, જે ચીજ જાય તેની જવાબદારી સૌએ ઉપાડવાની હેય છે. ટુંકમાં છોકરાઓજ નિયમો ઘડે છે અને વ્યવસ્થા કરે છે. અલબત્ત ગામમાં આવું ચાલતું નથી. બાળકોમાં સડે ઓછો હોય છે. એ તરત માની જાય છે અને સુધરી જાય છે. જ્યારે ગામમાં અનિષ્ટો વધુ અને ઊંડા ઘર કરેલાં હોય છે. આથી ક્યારેક ચોકી રાખવી પડે છે; સામાજિક દબાણ પણ લાવવું પડે છે. પણ આ બધું અદરની વાત્સલ્ય ભાવનાને લીધે જ. એક પ્રસંગમાં પોલીસને પણ બોલાવવા પડેલા. એક છોકરે રીઢે તેફાની થઈ ગયેલો. તે કોઈ રીતે ને માને એટલે તેને પોલીસ આગળ માત્ર બે-ત્રણ કલાક બેસાડ્યો. ગામેજ આ કાર્ય ગોઠવેલું પણ મારે તે પ્રસંત થવું પડેલું. એ છોકરે નહાવા જતાં છોકરાંઓને પાણીમાં ડૂબકી મરાવી ગુંગળાવતો હતો. પિલિસ ચેકીમાં બેસાડતાં તેને લાગ્યું: “પોલિસ છે ખરી!” ત્યારે તે ત્યાં રે. બધાની માફી માંગી અને “હવેથી નહીં કરું.” એવી કબૂલાત આપીને છૂટો થયો. પછી તેનામાંથી એ આદત સદંતર ચાલી ગઈ.
ટુંક્યાં આ નાના ક્ષેત્રમાં સફળતા મળી એટલે ખાતરી થઈ ગઈ કે આ ત્રણ વસ્તુથી અહિંસક સમાજરચના થઈ શકે ખરી. નિસ્વાર્થ સેવાના બીજા દાખલાઓ 1. પૂંજાભાઈએ નિર્ચીજ-વાત્સલ્યના બે દાખલા ટાંકયા. એક તેમને પિતાને હતો. તેમણે કહ્યું –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com