SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દિ-પુષ્ટિ થતી હેય, સાચે ધર્મ ઝંખવાત હોય; સંખ્યા લોભમાં પડીને સાચા સિદ્ધાંત એક કોરે મૂકાતા હોય તે વ્રતમાં ફેરફાર કરવાની જરૂર છે; એમ સમજવું જોઈએ. કેટલીકવાર એવું પણ બને છે કે વ્રત સર્વગ્રાહ્ય ન થતાં, તેના નામે દંભ, ધણ, દ્વેષ વ. અનર્થો પોષાય છે. આ વાત ધર્મના વિકાસને રૂંધનારી છે. માટે યુગદષ્ટિએ તેમાં સુધારો વધારે થે જોઈએ. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અને એક એકતાની દષ્ટિએ આખા દેશનું ઘડતર કરવા માટે અહિંસાદિ મૂળ પાંચવો સાથે, અભય, સ્વદેશી, શરીરશ્રમ, અસ્પૃશ્યતાનિવારણ, સર્વધર્મ સમભાવ અને અસ્વાદ નામનાં ઉપદ્રત પણ ગોઠવીને રજૂ કર્યા હતાં. આજે તેમના અવસાન બાદ અને સ્વરાજ્ય આવવાથી ઘણું વસ્તુઓમાં ફેરફાર થયો છે, તેમજ ઝડપી વાહન વહેવારે વિશ્વને નાનું કરી મૂક્યું છે, એટલે આખા વિશ્વને સાંસ્કૃતિક દષ્ટિએ એક અને એકાગ્ર કરવાનું છે. આ બદલાયેલી પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને આજે વ્રત અને ઉપવ્રતો વિચારવા પડશે. આ નવી વ્રત વેજના વખતે પૂર્વવ્રતોનું અનુસધાન–મેળ તે રહેશે જ. રખે કઈ માને કે પૂર્વ પુરૂએ ગોઠવેલાં વતે આનાથી કાઢી નાખવામાં આવે છે અથવા પૂર્વત્રતાનું ખંડન થઈ જાય છે. એ પૂર્વત્રને સમાવેશ આજની નવી વ્રત આજનામાં થઈ જાય છે. ઘની ગોઠવણી પાછળની ભૂમિકા: આજે વ્રતને નવી ઢબે ગોઠવતી વખતે ત્રણ વસ્તુઓનો ખ્યાલ રાખવો પડશે. તે આ પ્રમાણે છે – (૧) તે વ્રત, આજના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ-ભાવને અનુરૂપ, પલટાતા વિશ્વને દષ્ટિમાં રાખીને ગોઠવાવાં જોઈએ. (૨) તે વ્રતે, સમગ્ર સમાજવ્યાપી એટલે કે સર્વ ગ્રાહ્ય બની શકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy