________________
એકવાર રાષિ કયાંક બહાર ગયા હતા. તેવામાં દૂષ્યત રાજા ત્યાં આવે છે અને શકુંતલા અને તેને પ્રેમ થાય છે; તેમ જ બન્નેને ગાંધર્વ વિવાહ થાય છે. દુષ્યત ચાલ્યા જાય છે કષિ પાછા આવે છે. લોકો કહે છે કે શું આશ્રમ-કન્યા તેમ જ આશ્રમ માટે આ વસ્તુ શોભે? એક ઉપર બીજી આફત આવી.
પણ કવષિ તેને સમ્મતિ આપે છે. રાજા દૂષ્યતથી શકુંતલાને ગર્ભ રહેલો હોય છે. રાજા શહેરમાં જઈને રાજકાજમાં શકુંતલાને ભૂલી જાય છે. શકુંતલા એની આપેલી મુદ્રિકા નિહાળીને સાંત્વન મેળવે છે. અંતે જેની છે તેને ત્યાં મોકલી આપવી એ વિચાર કરી કણ્વઋષિ શકુંતલાને વળાવે છે.
એ વખતે સંસ્કૃતિના રક્ષક એ ઋષિની વિદાયવાણી સાંભળીને આજે પણ ગદગદિત થઈ જવાય છે. પાલક પિતા હોવા છતાં પણ તેમણે મા-બાપ બન્નેનું વાત્સલ્ય શકુંતલામાં રેડ્યું હોય છે. શકુંતલામાં પણ એજ વાત્સલ્યભાવ ભરેલો હોય છે અને તે કહે છે: “આ વૃક્ષો, આ લતાએ, આ પંખીઓ અને આ હરો! આ આશ્રમના નિવાસીઓ જેમનાથી એક પળ વિયોગની મેં કોઈ કલ્પના કરી ન હતી તેમને મૂકીને જતાં મારું હૃદય ચિરાઈ જાય છે.”
દુષ્યત રાજાને ત્યાં શકુંતલા પહેચે છે પણ તે ભૂલી જાય છે કે મેં શકુંતલા સાથે ગાંધર્વ લગ્ન કર્યા છે. શંકુતલા તેને પેલી લત્તાઓ, કુંજે, પંખીઓ બધાની યાદ અપાવે છે પણ રાજાના મગજમાં તે ઉતરતું નથી. અંતે પેલી મુદ્રિકાની યાદ અપાવે છે અને તે દેખાડવા જાય છે પણ નશીબ વેગે તે રસ્તામાં નદી પાર કરતી વખતે આંગળીમાંથી સરકી ગઈ હોય છે. તે મુદ્રિકા દેખાડી શકતી નથી અને રાજા એને સ્વીકાર કરવા માટે ના પાડે છે.
પતિથી ત્યજાયેલી, સમાજમાં અપ્રતિષ્ઠિત અને પિતાના ગર્ભમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com