SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ જોર જોરથી રડવા લાગી. બાપ મજબૂત મનને હતું એટલે તે બોલ્યો - “એને રડવા દે. તું ચાલ દીકરા !” એમ કહી તે બાપ દીકરાને લઈને ચાલવા લાગે. કોઈ પણ દિવસ દીકરાને અલગ નહોતો કર્યો એટલે મા પણ રડતી રડતી પાછળ જવા લાગી. બરાબર છાત્રાલય સુધી દોઢ માઈલ તે રડતી રડતી ગઈ. છોકરે છાત્રાલયમાં દાખલ થયે અને મા પાછી વળી. બે ત્રણ દિવસ થયા કે તે ફરી તેને ઘેર તેડી ગઈ. આ માતાનું હૃદય છે. તેની અંદર કેટલો પ્રબળ ભાવ હેઈ શકે તેને આ દાખલો છે. આજકાલ તે લોકોને બાળક થાય, એ ગમતાં નથી; તેમ જ ભણતરની સાથે એક ખોટો વા ચાલ્યો છે, તે પ્રમાણે શિક્ષિત માતાઓમાં બાળ ઉછેર તરફ બેદરકારી વધતી જાય છે. રશિયામાં બાળકને જન્મ આપ્યા પછી સરકાર માતા પાસેથી બાળકને લઈ લે છે. યુરોપમાં પણ મેજ-શોખ પાછળ માતાઓ બાળકોને ઉછેરવાથી કંટાળી જાય છે એટલે આઘા રાખે છે. પણ જે વાત્સલ્યભાવ એક માતા બાળક પ્રતિ રેડે તે બીજી ન રેડી શકે. આ વાત્સલ્ય અગાઉ લોહીના સંબંધ સુધી હતું. એક સમય એવે હતે જ્યારે સ્ત્રી બાળકોની સારસંભાળ રાખતી, તેને ઉછેરતી અને તેમનામાં સંસ્કારે રેડતી. બાળકે તેની આંખ આગળ મોટાં થતાં. 'પણું ધીમે ધીમે માનવે ટોળાઓમાં રહેવું શરૂ કર્યું, સમાજ સ્થપાય. અને પ્રજાજીવનના ઘડતરની જવાબદારી સાથે બાળકોના ઘડતરની જવાબદારી સમાજ ઉપર વધારે ને વધારે આવી. આજ સુધી માનવસમાજે પિતાની જે પ્રગતિ સાધી છે તેના ઉપકારના બદલે સમાજને ચરણે સંતાને ધરવા અને સમાજનું ઋણ ઉતારવાનું સાધન સંતાન મનાવવા લાગ્યું. જેને સંતાન ન થાય તે અભાગી ગણાવા લાગે. અપુત્ર તરિત, स्वों नैवच नैवच Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy