________________
ર૫૪
એટલે મર્યાદા વધારે વહેવાર અને વિશ્વવ્યાપી બની શકે, એ ચર્ચાઈ ગયું છે. એ સાથે માલિકી હક વિસર્જન બધા ન કરી શકે અને એ વાત અવહેવારૂ તેમજ અદ્ધર રહે. વિધવાત્સલ્ય સાથે માલિકી હક મર્યાદાને સંબંધ :
વિશ્વ વાત્સલ્ય સાથે વળી માલિકી હક-મર્યાદાને શું સંબંધ હોઈ શકે ? એ એક પ્રશ્ન ઊભો થઈ શકે છે. તે અંગે ઊંડાણથી વિચાર કરતાં જણાઈ આવશે જ્યાં વિશ્વના સમસ્ત છે પ્રતિ વાત્સલ્યની દષ્ટિ હેય ત્યાં કોઈ પણ પ્રવૃત્તિથી વિશ્વને દુઃખમાં પડવું પડે કે વિશ્વની પ્રજાને કષ્ટ પડે એવું ન થવું જોઈએ, એને ખ્યાલ રાખવો જ પડે. અમર્યાદિત પરિગ્રહ વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્ર માટે બને રીતે દુઃખ લાવનારૂં છે એ અગાઉ ચર્ચાઈ ગયું છે. કારણ કે જ્યાં વધારે છે ત્યાં સંરક્ષણ, ચેરી વગેરે પ્રશ્નો છે અને જ્યાં અભાવ છે ત્યાં ભૂખ, દુઃખ અને તત્વજનિત બધાં પ્રકારનાં અનિષ્ટો છે. એટલે વિધવાત્સલ્યના સાધકના જીવનમાં પરિગ્રહ ઉપર મર્યાદા કે અંકુશ રહે જોઈએ. તેના વધારાના સંગ્રહથી બીજાને એ વસ્તુ ન મળવાથી દુઃખમાં સપડાવું જ પડશે.
આ માટે એક માતાને દાખલો લઈએ. જેમ માતા થોડાં સાધનોથી કરકસર કરીને પણ પિતાનું ચલાવી લે છે; પિતાના આત્મીયોને વધારે મળે અથવા તો પૂરેપૂરું પોષણ મળે એમાં રાજી થાય છે. તેવી જ રીતે વિશ્વવત્સલ સાધકે જાતે ભૂખે રહીને, ઓછું મળવાથી, ઓછાં સાધને પામીને અને કરકસર કરીને ચલાવી લેવાની ટેવ પાડવી જોઈશે. અને સાથે જ જગતને પૂરતું પોષણ મળે એ દષ્ટિ પણ તેણે રાખવી પડશે. આમ થતાં જગતને પૂરૂં મળે છે તેને આનંદ પામવાની પિતાની વૃત્તિ કેળવવી પડશે. એની એ દષ્ટિ વ્યાપક બનશે અને તેણે એ પણ જેવું પડશે કે જગતમાં અમુક રાષ્ટ્ર પાસે વધારે સંધરો છે અને બીજાને ત્યાં અછત છે, તે એવા અછતવાળા અભાવથી પીડિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com