________________
૩૮૪
વવાની છે. છેલ્લાં સે વર્ષમાં હિન્દુસ્તાનમાં આવું જ થયું છે. આજ સુધીનું રાજતંત્ર જોતાં એ જ ધોરણે ચાલ્યું છે, એમ લાગ્યા વગર રહેશે નહીં. આ રીતે પાશ્ચાત્ય દેશોની છે.
પાશ્ચાત્ય દેશમાં રાજય એટલે તાકાત, ધાક, બળ વાપરવું-એ વગર રાજ્ય ચાલી શકતું નથી એમ માનવામાં આવે છે. યુરોપના રાજાઓના હાથમાં અભિષેક વખતે સોનાને કે ચાંદીને દંડ આપવામાં આવે તે પણ એનું પ્રતીક છે. યુરોપમાં રાજ્યની આવી વ્યાખ્યાએ સરમુખત્યારશાહી આવી. પછી તે હિટલરી સરમુખત્યારશાહી હેય અગર તે સામ્યવાદી સરમુખત્યારશાહી હેય ! તેને એક જ અર્થ કે બીજા ઉપર ધાક બેસાડવા માટે લશ્કર રાખવું જેથી પ્રજા થરથરે અને નમી જાય.
પણ આ તાકાતનો ઉપયોગ ક્યાં કરે? એનો વિચાર થતાં એમ લાગે છે કે દુનિયામાં નબળા અને સબળા બે પ્રકારનાં માણસો હોય છે. બુદ્ધિ અને શરીર બનેથી નબળા હોય તેમને નબળા ગણવા જોઈએ. આ લોકે દુનિયામાં રહેવા લાયક નથી. દુનિયામાં તો સબળા અને શ્રેષ્ઠ માણસે રહેવા જોઈએ, નબળાને દૂર થવું જોઈએ. લશ્કરમાં નબળા હોય તેને ખતમ થવું જોઈએ. વંશમાં નબળા હેય તેને ઓપરેશન કરી ખતમ કરવા જોઈએ. આવી વ્યાખ્યા રાજ્યની તાકાત વાપરવા માટે યુરોપના દેશમાં ચાલુ થઈ. પરિણામે બીજુ વિશ્વયુદ્ધ થયું અને યહુદી કોમનું નિકંદન તેમજ સામ્યવાદી દેશમાં તેમના વલણને અનુરૂપ નહીં એવા લોકેનું નિકંદન મોટા પાયા ઉપર થયું.
એની એક બીજી અસર લોકો ઉપર થઈ અને એક બીજી વ્યાખ્યા એ આવી કે સૌમાં સરખી શક્તિ પડેલી છે. રાજ્ય પિતાની શક્તિને ઉપયોગ નબળા માટે કરે, તેથી રાજ્યને પણ લાભ છે. સબળા છે તેમને નેતાગીરી મળશે અને નબળા પણ સબળા બની રાજ્યના હિતમાં કંઈક કરી શકશે. એમાંથી મજૂર-સત્તાવાદી સરમુખત્યાર શાહી ઊભી થઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com