________________
૧૮
માલિકી ઊભી કરે છે. એક તે એ અજુગતુ છે અને બીજુ એમાં દંભ પેસવાની સંભાવના ઊભી થવાને ભય હમેશાં રહે છે. - ઘણીવાર એવું જોવામાં આવે છે કે અમુકભાઈ પિતાના પરિગ્રહની મર્યાદા એક લાખ રૂપિયાની કરે છે. જ્યારે મૂડી એકલાખથી વધે છે તે તે વધારાની મૂડી પિતાની સ્ત્રી, પુત્ર, પુત્રી વ.ના નામે કરતો જાય છે અને માલિકી-હક પણ રાખે છે. આમ દંભ ન પિસે અને વહેવાર પણ બને તે માટે માલિકી હક મર્યાદા વ્રત રાખવામાં આવ્યું છે.
વિશ્વમાં આજે મૂડીવાદ, સામ્યવાદ, સમાજવાદ વિ. ઘણું બધા વાદે છે અને રહેશે. આ દરેક વાદમાં ક્યાંક સમાજની, ક્યાંક વ્યક્તિની તે કયાંક રાજ્યની માલિકીની વાત થાય છે. જે માલિકી હક-વિસર્જનની વાત થાય તે પછી રાજ્ય કે સમાજનું સ્વામિત્વ પણ છોડાવવું પડશે. જે એમ ન થાય તે સ્વામિત્વ-વિસર્જન નહીં થાય અને તે સ્વામિત્વ સમાજ કે રાષ્ટ્રમાં કેન્દ્રિત થઈ જશે. આમ થાય એ તો વધારે ભયંકર છે અને તેના પરિણામ-સ્વરૂપે એક રાજ્ય કે સંગઠન બીજા રાજ્ય કે સંગઠનેને શોધવાનું; કબજે કરવાનું કારણ બની જવાને સંભવ છે.
ભૂદાનમાં પ્રારંભમાં માલિકી હક-મર્યાદાની વાત હતી એટલે પૂ. સંતબાલજી મહારાજશ્રીએ એમાં ખૂબ રસ લીધો હતો. જ્યારે ગ્રામદાન દ્વારા આખા ગ્રામની ભૂમિના સ્વામિત્વ-વિસર્જનની વાત આવી ત્યારે એમણે વિચાર્યું કે આમાં ખેડૂતને નિશ્ચિતતા રહેશે નહીં. તેમજ તેના ઘડતર કે વ્યવસ્થા માટે લોકસેવકો છેવટ સુધી રહેશે નહીં. ત્યારબાદ એકજ પરિણામ આવે કે ગ્રામદાનથી આવેલાં ગ્રામ બધા રાજ્યના હાથમાં સેંપવા પડશે. રાજ્ય પ્રાંટ આપ્યા કરશે; રાહત વૃત્તિથી આખું કામ ચાલુ રહેશે.
આનાથી ગ્રામદાની ગ્રામોમાં નૈતિક શક્તિ જાગૃત નહીં થાય. એટલે એમને રસ ઓછો થશે. જ્યાં સુધી ગામડાં, મજુર-મધ્યમવર્ગ કે પછાતવર્ગને નિશ્ચિત ન કરી શકાય ત્યાંસુધી માલિકી હક-વિસર્જનની વાત હવામાં જ રહેશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com