SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ઉપરાંત સંસ્થાની પ્રવૃત્તિઓ અને કાર્યોમાં વિવેક રાખવું જોઈએ કે કયું કામ પહેલું કરવું અને કયું બાદમાં તે ઉપરાંત દરેક કામ કઈ દષ્ટિથી કરવામાં આવ્યું છે કે તે કઈ દ્રષ્ટિથી થયું નથી તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. ઉપયોગિતા માટે બાર ભાવનાઓ (અનુપ્રેક્ષા) પણ ઉપયોગી છે. તેમજ પ્રતિક્રમણ (લતદેષ ભંગ કે પાપને એકરાર, વિચાર અને પુન ન થાય તે માટેની પ્રતિજ્ઞા) પણ જરૂરી છે. (૯) શેષણ મુક્તિ : વિશ્વ વાત્સલ્યનો સાધક દરેક પ્રકારના શોષણમાંથી લોકોને દૂર કરવા પ્રયત્ન કરે કે કરાવે એ વિશ્વ વાત્સલ્યની નીતિનિષ્ઠાનું નવમું સૂત્ર છે. શોષણ મુક્તિ માટે સત્ય, પ્રેમ અને ન્યાયની દષ્ટિએ સહકારી પ્રવૃત્તિ, ફરજિયાત બચત વગેરે પ્રવૃત્તિઓ ચાલે અને ન્યાય માટેની પંચાયત (પંચ)માં નૈતિક પ્રતિનિધિત્વ જરૂર રાખવામાં આવે. એ જેવું જરૂરી છે. (૧૦) સફાઇ, પ્રાર્થના અને રેંટિયે : આ દશમું સૂત્ર છે; અને તે બહુ જ મહત્વનું છે. વિશ્વવાત્સલ્યમાં માનનારી દરેક સંસ્થાઓએ આ પ્રમાણે વર્તવું જોઈએ જેથી ત્રણે વસ્તુઓ જ્ઞાન, ભક્તિ અને કર્મ અથવા જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય સાધી શકાય. લોકો અને લોકસેવકો, તેમજ રાજ્ય સંસ્થાના કાર્યકરો આ ત્રણેય બાબતોને એ જ રૂપે લેશે; અને યથાયોગ્ય જીવનમાં આચરશે. સફાઈ એટલે અંદર તેમજ બહારની દરેક પ્રકારની સ્વચ્છતા એટલે કે પવિત્રતા ઉપર ધ્યાન આપશે. પ્રાર્થના વડે તે ભકિતભાવ-શ્રદ્ધા જગાડશે અને રેટિયા વડે તેને પિતાના કર્તવ્ય-વિશ્વ વાત્સલ્યનું સતત ભાન રહેશે. ત્યારે ઉચ્ચ કોટિના સાધકો-ક્રાંતિપ્રિય સાધવર્ગ બાહ્ય સફાઈ કરતાં આંતરિક સફાઈ ઉપર વિશેષ ધ્યાન આપશે; અને સમાજશુદ્ધિનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy