SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કરે છે. તેમની પ્રખર નીતિનિષ્ઠાને કારણે તેઓ આડકતરી રીતે વતનિષા તરફ વળતા જાય છે. જેથી બીજા ઉપર પણ તેમને પ્રભાવ પડે છે. એક વખત પંડિતજી એકલા જતા હતા. રસ્તામાં એક ગૂડે એક બાઈને રંજાડતો હતો. પંડિતજીએ તે જોઈને પેલા નૂડને હાથ પકડશે અને કહ્યું: “અરે ! આ શું કરે છે? તને શરમ નથી આવતી?” પેલો ગૂડે શરમાઈને નાસી છૂટ. એ જ એક બીજો પ્રસંગ છે કે તેઓ મેટરમાં જતા હતા. ત્યારે લોકોએ ઉશ્કેરાઈને પત્થરને માર ચલાવ્યું. પંડિતજી શાંત રહ્યા અને મોટર અટકાવીને નીચે ઉતર્યા. તેમણે પેલા ઉશ્કેરાયેલા ટોળાને કહ્યું: “ભાઈ! તમે આ શું માંડ્યું છેશા માટે આવું કરે છો ?” પેલા લોકે નીચું મોં કરીને ચાલ્યા ગયા. બ્રહ્મચર્યનું તેજ હમેશાં પંડિતજીના ચહેરા ઉપર જોઈ શકાય છે. તેમણે સ્વેચ્છાપૂર્વક પરિગ્રહ પણ ઓછો કરી નાખ્યો છે. આમ તેમની વતનિષ્ઠા નીતિનિષ્ઠા સાથે વણાઈ ગઈ છે. એવી જ નીતિનિછા ભાલ નળકાંઠો ખેડૂત મંડળના ખાસ કાર્યકરોમાં પણ જોવા મળે છે. તેથી તેઓ સહજ વતનિષ્ઠા તરફ વળેલા હોય છે. એક વાર ખંભાતની ત્રણ કન્યાઓને એક વાઘરી ફસલાવીને દિલ્હી વેચવા લઈ જતું હતું. કન્યાના માતા પિતાઓએ તેમની ખૂબ શોધ કરી પણ કાંઈ પત્તો ન ખાધે. છેવટે છાપામાં જાહેરાત આપી, જવારજના ખેડૂતમંડળના માજી પ્રમુખ શ્રી ફૂલજીભાઈ છાપું વાંચતા હતા; તેમાં એમણે વાંચ્યું. સગવશ તે દિવસે જ સાંજે જવારજની એક ભરવાડણ બાઈ સીમમાં ભેંસ ચરાવવા જતી હતી. તે વખતે તેણે આ વાઘરી-વાઘરણ પાસે ત્રણ છોકરીઓ જોઈ. તેઓ ત્યાં રસોઈ કરતા હતા. એણે આવીને ફૂલજીભાઈને વાત કરી. છાપામાં વાંચ્યું હતું એટલે તાળે મળી ગયો. પણ શોધખોળ કરવા જાય ત્યાં તે વાઘરી કન્યાઓને લઇને જતો રહ્યો. આજુબાજુના ગામડામાં ચારે બાજુ લોકોને ઘેડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy