________________
૩
ક્રમે ક્રમે મળ્યું તેને સંબંધ સ્થૂળ દેહના–લોહીના કરતાં પણ વધારે છે. લોહીના સંબંધે વાત્સલ્ય સીંચીને માણસ વ્યકિતગત જીવનમાંથી જેમ કૌટુંબિક જીવનમાં આવ્યો તેમ તેણે આંતરિક અને માનસિક ભૂમિકાએ બંધાયેલા સંબંધોમાં પણ તેવી આત્મીયતા અને શુદ્ધતા મેળવવાની છે.
એટલા માટે જૈનસૂત્રોમાં કુટુંબવાત્સલ્ય પછીની ભૂમિકાએ સાધ=વાત્સલ્યને મૂકવામાં આવ્યું છે. તેનો અર્થ છે સમાન ધર્મવાળા એટલે સમાન માનવજાતિના લોકો પ્રતિ વાત્સલ્ય ભાવ રેડો. જો કે આજે તે તેને અર્થ જૈન કેવળ પોતાના સાંપ્રદાય સુધી જ કરે છે. પણ તેની વ્યાપકતા ખરેખર સમસ્ત માનવ જાત સુધી છે.
ભગવાન ઋષભદેવના સમયમાં અકર્મ ભૂમિકા હતી અને યુગલિયા પ્રજા હતી. તેઓ કેવળ પિતાના પડ સુધી જ રાચતા. તેમણે એ પ્રજાને વ્યક્તિવાદથી કુટુંબ અને પછી વર્ણવ્યવસ્થા બાંધીને સમાજ સુધી આણું સમાજ વાત્સલ્ય શીખવ્યું. ત્યારબાદ તેમણે જોયું કે એ પ્રજાને સમાજવાત્સલ્યથી વધીને સમષ્ટિ-વાત્સલ્ય સુધી લઈ જવાની જરૂર છે. એ માટે જાતે વિશ્વવાત્સલ્ય સાધવું જરૂરી હતું. તે માટે તેમણે સાધુ–દીક્ષા લીધી. જગતના સમસ્ત જીવોની (સમષ્ટિની) સાથે આત્મીયતાને અનૂભવ કરવા માટે તેમણે એક વર્ષ સુધી સમૌન તપ કર્યું. જૈને તેને વર્ષીતપ કહે છે. ત્યારની પ્રજાને આ વિશ્વવાત્સલ્ય સાધક શું લે છે-કેવી રીતે લે છે? એની જાણ ન હતી. કોઈ હાથી હાજર કરે, કારણ કે ઋષભદેવ રાજા હતા, તેમને સવારી માટે જોઈએ ને? કોઈ છેડે હાજર કરે કારણ કે એમને પગે થોડું ચાલવાનું હોય ! કોઈ મોતી ભરેલા થાળ હાજર કરે, કદાચ કોઈએ પ્રભુને મેણું માર્યું હશે એટલે આભૂષણ વગર ફરતા હશે ! કોઈ કન્યા હાજર કરે કે કદાચ એમને રાણીઓથી અસંતોષ થયો હશે! પ્રજાને પ્રેમ ખૂબ અને જેને જે સૂઝે તે રીતે પ્રભુને રીઝવવાનો પ્રયાસ કરે ! પણ કોઈ નહોતા જાણતા કે તેમને તે માત્ર શુદ્ધ, કલ્પનીય, સૂઝતે અચિત આહાર જોઈએ ! કારણ કે એ સમષ્ટિ-વાત્સલ્યને સાધક એકન્દ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com