________________
યુગના પ્રવાહની જાણકારી હશે; તેમ જ સર્વધર્મ સમન્વયની વૃત્તિ સાથે વ્યાપક સર્વાગી દષ્ટિ હશે તથા જનસંગઠન, જનસેવકસંગઠન, રાજ્યસંગઠન (કોંગ્રેસ છે અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વી વર્ગ, એ ચારેય સુસંસ્થાઓની સાથે જેને અનુબંધ હશે. આવા સાધુઓના નિર્દોષ સંપર્ક અને સાહચર્ય દ્વારા સાધ્વીઓ ઘડતર પામે – જેને જૈન, બૌદ્ધ અને ઈસાઈ ધર્મે માન્ય કરેલ છે – તે તેમના વડે બહેનનાં અનેક પ્રશ્નો ઉકેલાઈ શકે અને સમાજનું સાચું ઘડતર કરવામાં તેમના માધ્યમને પણ ઉપયોગ કરી શકાય.
બ્રહ્મચર્યની આ યુગદષ્ટિ છે. વિશ્વ વાત્સલ્યના સાધકને જો આ સમજાય તો બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો સ્થપાતાં વાર નહીં લાગે એ ચેકસ છે.
ચર્ચા-વિચારણું શું બ્રહ્મચર્યની ચર્ચા અસ્વાભાવિક છે –
શ્રી માટલિયાએ બ્રહ્મચર્ય વ્રત ઉપર ચર્ચા શરૂ કરતાં કહ્યું:
આજે આપણે જે બ્રહ્મચર્ય વિષે વાત કહીએ છીએ, તેમાં ઘણુંને જુનવાણી માનસ અને અસ્વાભાવિક બોલાતું લાગે છે. એના કારણમાં આજના જાતીય અને વિજ્ઞાને એક વાત મૂકી છે કે જે પ્રવૃતિ થાય છે તેને પાયો સેક્સ અને લિબડે છે, એટલે કે જાતિયકૃતિ મળીને જ પ્રવૃતિ થાય છે. આવી આજની માન્યતા છે.
એનું કારણ આ પ્રમાણે છે. સન ૧૯૨૧માં યુદ્ધમાં ગાંડા અને વિકૃત માનસવાળાની જે ભચિકિત્સા થઈ તેમાં નિદાન એ આવ્યું કે મનમાં કામવાસનાના વેગને રોક તેમજ શક્તિવાળાઓને સમાજે ગનિ ન આપી; આ બે કારણોસર તેમનું મગજ વિકૃત તેમજ ગાડું થયું. જે કે એવું તારણ નીકળ્યું પણ આ બધા વિકૃતિવાળાં હતાં; તે ઉપરથી સહજ નિયમ તારવવો એ મૂળભૂત દોષ કે ભૂલ છે. એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com