________________
ઉપવાસ વ. સંકળાયેલા છે તેને ભલે અનુસરે પણ એ બાહ્ય ક્રિયા કાંડેનેજ પૂર્ણ ધર્મનિષા ન માની બેસે; તેમાં દેશ, કાળ, પરિસ્થિતિ પ્રમાણે તેણે સંશોધન પરિવર્ધન કરવું જોઈએ અને આ વ્રતને અનુકૂળ થાય એવા કાર્યક્રમ ગોઠવવા જોઈએ.
એવી જ રીતે માત્ર પુણ્ય દાન રાહતનાં કાર્યોને જ ધર્મનિષ્ઠા માનવામાં આવશે તે સમાજ શુદ્ધિ માટે તપ, ત્યાગ-બલિદાન વગેરે ક્રાંતિના કામે રહી જશે. આને અર્થ એવો નથી કે માણસે દયા-દાન પુણ્યનાં કાર્યો ન કરવાં પણ ઘણીવાર એને જ સંપૂર્ણ ધર્મ માની લેતાં એવું બને છે કે દયા-દાન પુણ્ય કરનાર વ્યક્તિ અન્યાયશેષણ, અનીતિ અસત્ય વ.નું આચરણ જીવનમાં કરતા હોય છે અને પિતાને ધર્માત્મા માને હોય છે. એટલું જ નહીં કેટલીકવાર સમાજ પણ એવી વ્યક્તિને ધર્માત્મા તરીકે નવાજે છે. એક સંસ્થાને દાખલો અહીં લઈએ. એને એક વ્યક્તિએ ઉદાર હૃદયે વીશહજારનું દાન આપ્યું. તે વ્યકિતના દાનથી પ્રેરાઇને સંસ્થાના કાર્યકર્તાઓએ તેને માનપત્ર આપ્યું અને તેમાં એને ધર્મરત્નની ઉપાધિ આપી. હવે આ વ્યકિતનું ખાનગી જીવન બધા પ્રકારના વ્યસનથી પરિપૂર્ણ હતું. તે અંગે પાછળથી સંસ્થાના કાર્યકરોની ટીકા પણ થઈ. પુણ્યાદિ બાહ્ય પ્રવૃત્તિ સાથે આંતરિક વતનિષ્ઠા પણ એટલી જ શુદ્ધ હેવી જોઈએ. એમ ન થાય તે સત્ય-અહિંસા વગેરેના ક્રાંતિના કાર્યો અદ્ધરજ રહી જાય છે. ઘણા કહેવાતા સાધકો અંગે પણ એવું જોવામાં આવ્યું છે કે તેઓ પરિકલ્યાણ અને પરોપકારના કામમાં પડી જાય છે અને આત્મકલ્યાણ કે સ્વ-ઉપકારની વાત ચૂકી જાય છે. ખરેખર તે આત્મકલ્યાણ કે સર્વ ઉપકારની સાથે સાથે પરકલ્યાણ અને પરોપકારની વાત આવે તે જ સમાજમાં સુવ્યવસ્થા, શાંતિ અને શુદ્ધિ જળવાઈ રહે છે. માત્ર પુણ્ય દાન રાહતના કાર્યોથી સમાજ કે વ્યકિતની અનિષ્ટ શુદ્ધિ થતી નથી. એક સાધક માટે ધર્મનિષ્ઠા કે ધર્મનિષ્ઠા તરફ જવાને ઉદ્દેશ્ય મુખ્ય હવે જોઈએ. તેની સાથે આપોઆ૫ પુણ્ય, દાન, દયાનાં કાર્યો આવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com