SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૩ શક્તિઓ અને કાર્યો સાચવી રાખ્યાં છે, તે છોડવા પડશે. રાજ્ય જાતે ન છોડે તો તેની પાસેથી તે બધું છોડાવવું પડશે. આ માટે આપણું નજર, ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ તરફ જાય છે. જો કે તેમાં પણ આજના વિશાળ જગતમાં અનુબંધ વિચારધારાની રીતે પાયાથી કામ કરવું અશક્ય થઈ પડશે. પરંતુ બાપુએ જે થોડા દેશસેવકો અને રચનાત્મક કાર્યકરે આપ્યા છે તે સૌએ ભેગા મળીને જેમ બાપુ વખતે આહુતિઓ આપેલી, તેમ આપી, કલ્યાણરાજ્ય, સર્વોદય અને વિશ્વ વાત્સલ્યને સમન્વય સાધવો પડશે. આ જ અનુબંધ વિચારધારાનું મૂળ રહસ્ય છે. સર્વોદય અને વિશ્વ વાત્સલ્યના સાધકોએ રાજ્ય પાસેથી સ્વેચ્છાએ કે સ્વેચ્છા વગર પણ આર્થિક, સામાજિક શિક્ષણ-સંસ્કૃતિના કાર્યક્રમો લઈ લેવા પડશે. તોજ રાજ્ય બાકીનું બરાબર સંભાળી શકશે.” શ્રી સુંદરલાલ : “જેમ બાળકની પાસેથી રમકડું આપીને જ ચપુ લઈ શકાય છે તેમ કલ્યાણરાજ્યને આંતરરાષ્ટ્રિય કાર્યક્રમ આપીને જ તેની પાસેથી રાજકીય સિવાયના બધા કાર્યક્રમ લઈ શકશે.”: શ્રી દેવજીભાઈ એટલા માટે તે આપણે ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ અને સર્વાગી રચનાત્મક કાર્યકરોના સંયુક્ત પ્રયાસ ઉપર મીટ માંડીએ છીએ. આજે આવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓને સમાજે સર્વપ્રથમ જગાડવાં પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy