SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ " "एआई चेव सम्म दि हिस्सं सम्यतपरिग्गहत्तेण सम्मसुयं, " વિછારિરિ મછાં જુથ # મિથ્યા એટલે કે વિપરીત કહેવાતા એ શાસ્ત્રો પણ સમ્યકષ્ટિ માટે સમ્યક કૃત છે, કારણ કે તેની દૃષ્ટિ સમ્યક્ ભાવ ગ્રહણ કરવાની હોય છે. અને મિથ્યા દષ્ટિ માટે સમ્યક્ કહેવાતાં શા પણ મિથ્યા શ્રત છે, કારણ કે તેને તે દરેકમાંથી દેજ જવાની કે તારવવાની દષ્ટિ હોય છે. શ્રીકૃષ્ણ ભગવાનના રાજદરબારમાં એક વખત ચર્ચા ચાલી કે દૃષ્ટિ તેવી સૃષ્ટિ હેય કે સૃષ્ટિ તેવી દૃષ્ટિ હોય? ત્યારે બહુમત દૃષ્ટિ તેવી સૃષ્ટિના પક્ષમાં હતો. એ વાતની પરીક્ષા કરવા શ્રીકૃષ્ણ દુર્યોધનને એક નેધપોથી આપીને કહ્યું: “આ નગરીમાં જેટલા સજજને હેય તેને નેંધી આવે!” તે ગયો પણ તેને કઈ સજજન લાગ્યું નહિ, એટલે તે ખાલી ધપોથી લઈને પાછો ફર્યો. તેવી જ રીતે યુધિષ્ઠિરને પણ એક નેપથી આપીને કહ્યું: “આ નગરમાં જેટલા દુર્જને હોય તેને નોંધી આવો.” યુધિષ્ઠિર પણ કરી નેંધપોથી સાથે પાછા ફર્યા કારણું કે તેમને કોઈ દુર્જન લાગે જ નહીં. આખી નગરીમાં સજજને કે દુર્જન હતા જ નહી એવી વાત ન હતી, પણ એકને એક ગુણ જોવાની દ્રષ્ટિ હતી એટલે તેને કોઈ દુર્જન ન લાગ્યો અને બીજાને દોષ જોવાની દ્રષ્ટિ હતી એટલે કોઈ સજજન મળ્યો નહીં. આમ શ્રીકૃષ્ણ બધા સભાસદોને દ્રષ્ટિ અને સૃષ્ટિને ન્યાય પ્રમાણિત કરી આપે. - સત્યશ્રદ્ધા વાળાની દષ્ટિ, ખરાબમાં ખરાબ વસ્તુમાંથી સાર કે તત્વ તારવાની હશે તે દુર્ગણો કે દુર્વાકયમાંથી પણ સવળે અર્થ લેશે. કૈકેયીએ રાજા દશરથ પાસે બે વચને માગ્યા હતા. તે વખતે શ્રીરામ કૈકેયી પાસે ગયા. તેમને રાજ્યાભિષેક થવાને હતું અને દશરથ મૂતિ થઈને પડ્યા હતા. એ વખતે કૈકેયીએ વરદાનની વાત કરતાં કહ્યું કે હું બે વરદાન માંગું છું, તે શું હું કરું છું? * * . . * કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy