SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ કાર્યકમોનો અનુબંધ: એવી જ રીતે આ બધા જ કાર્યક્રમો ચાર અનુબંધે પૈકી એકને પણ છોડીને નહીં ચાલે. તેમાં પણ સંસ્થાનું મહત્વ વ્યક્તિ કે વ્યક્તિઓ કરતાં પણ વિશેષપણે તે ક્ષેત્ર માટે સ્વીકારાશે. કયારેક એવું પણ બને કે સંસ્થા મુળભૂતક્રાંતિમાં અવરોધક બનશે ત્યારે ક્રાંતદ્રષ્ટા વ્યકિત કે વ્યકિતઓ એ સંસ્થાને છેડશે નહીં. પણ સંસ્થાના સંશોધન માટે, સંસ્થામાં રહીને પણ ભવ્યા કરશે. એવું પણ બનવાને વધુ સંભવ છે કે એવાં ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓ, ગૃહસ્થ-દંપતિઓ, સન્યાસીઓ કે બ્રહ્મચારી ભાઇબહેનોને આ કાર્યક્રમમાં ભળવા માટે આવે ત્યારે તેમની જૂની સંપ્રદાયધર્મસંસ્થા તરછોડી મૂકશે કે સંસ્થા-બહાર કરવાની ઘેષણ કરશે. તે છતાં તેઓ પિતાની સંસ્થાના મહત્વને ગમે તેવા આક્ષેપો અને વિરોધ વચ્ચે પણ નહીં છોડે. આના પરિણામે, તેવા સભ્યો અનુબંધ વિચારધારાના ભાલનળકાંઠા પ્રયોગના અન્વયે દેશભરમાં અલગ અલગ વિભાગમાં નવી સંસ્થાઓ ઊભી કરશે અને જુની સુસંસ્થાઓ સાથે, તથા દેશ અને દુનિયાની વર્તમાન યુગની વિરલવિભૂતિઓ સાથે વ્યકિતગત સંપર્કમાં પણ રહેશે. જેથી વિશ્વવાત્સલ્યના આ કાર્યક્રમો વિશ્વરૂપ પકડી શકે. સવારે શ્રી ભાટલિયાએ કહ્યું તેમ જનસેવકો (ગાંધીયુગના) હશે તેમણે શિક્ષણ, સંસ્કાર, આરોગ્ય અને ન્યાયના કાર્યક્રમમાં જાતે સીધો ભાગ લેવે પડશે, તેમજ સહકારી પ્રવૃત્તિ, લવાદી વગેરે કાર્યક્રમે નૈતિક જનસંગઠન દ્વારા ચલાવશે. એટલું જ નહીં, તે જનસંગઠનનું પ્રતિનિધિત્વ કોગ્રેસમાં ઊભું કરવામાં તથા મુલ્ય પરિવર્તન કરાવવાની પ્રક્રિયાઓમાં અને શુદ્ધિકગો વગેરેમાં જાતે પણ ભળશે અને સંસ્થાગત રીતે પણ દોરવણી આપશે. ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ આ બધામાં પ્રત્યક્ષ ભાગ ન લેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034804
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 01 Vishvavatsalya Sarvoday ane Kalyanraj
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni, Dulerai Matalia
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy