________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
ધર્માધર્મ અને તેના ફળ સુખ-દુઃખને જાણવા છતાં હે ગૌતમ, કેટલાક આત્માઓ મોહથી મૂઢ થઈ આત્મહિતને આચરતા નથી, પરંતુ પોતાની ભૂલો સુધારીને એ પ્રમાણે આચરણ કરે, સાથે તપધર્મની આરાધના કરે તો અવશ્ય ઉત્તમ સદ્ગતિને પ્રાપ્ત કરે છે.
શુદ્ધ માર્ગની આરાધના કઠણ છે છતાં પાર પાડી શક્ય છે, પરંતુ એ જ્યારે શબ્દસહિત બની જાય છે ત્યારે એના માટે કઠણ બની જાય છે. આત્મહિતને પણ સમજતો નથી.
"सखलुं चरति धम्म आयाहिम नायबुझसार ससल्ले जर कहुग्गम,
घोर वीरं वरे दिव्वं वास सहस्सायि तत्तो वि त तस्स निष्फलं ॥" દિવ્ય દેવતાઈ હજારો વર્ષ તપ કરે તેવો નહિ, પણ ઉગ્ર કષ્ટમય ભયંકર તપ આચરે, પણ જો તે આત્મા સશલ્ય છે, તો તેનો તે બધો તપ નિષ્ફળ છે. માટે શલ્ય એટલે કે ઈચ્છા રહિત તપ કરવાનો છે.
તપ કરવાનું છે પણ શલ્ય (ઇચ્છા) રહિત કરવાનું છે, તો જ કર્મની નિર્જરા થશે. પણ શલ્યસહિત કરવામાં આવશે તો પાપ બંધાશે અને ભોગવવાનો વારો આવશે.
શલ્ય રહિત કર્યા પછી આલોચના, નિંદા, ગહ કે પ્રાયશ્ચિત ન કર્યું જેવી રીતે શલ્ય સેવ્યું તેવી રીતે તેનું પ્રગટીકરણ ન કર્યું તો શલ્ય પણ પાપ કહેવાય છે. “સંબંમિ મન્નર પાવં સ્ત્રીનોરથ નિતિયા”
તે મહા પ્રચ્છન્ન પાપ છે. ગુપ્ત પાપીપણું છે. જે મહાન અકાર્ય અને અનાચાર છે. તેવું માયા દંભીપણા આઠે કર્મોનો બંધ કરાવનાર છે. અસંયમમાં તાણી જાય છે. શીલરહિતપણું, અધર્મતા, કલુષિત અવસ્થા, અશુદ્ધિ, સુકૃતનાશ, (શુભ અનુષ્ઠાન સેવવા છતાં હૃદયના મલિન પરિણામ) દુર્ગતિમાં અનેક પ્રકારનાં શારીરિક અને માનસિક દુઃખોમાં તાણી જાય છે. સંસારનો વિચ્છેદ થતો નથી. આત્માની મહાન વિગોપનતા થાય છે. અર્થાત્ એ જીવ સંસારમાં ક્યાં છુપાઈ જાય છે તેનો પત્તો લાગતો નથી.
ભગવાન મહાવીરના પૂળ ભવોનો જ નિર્દેશ કરવામાં આવે છે. સૂક્ષ્મ ભાવોમાં પણ ભગવાનનો આત્મા ઘણું ભટક્યો છે.
શલ્યોના પ્રભાવે આવી દુર્ગતિને સહન કર્યા પછી પણ અત્યન્ત રૂપ હીનતા (કદરૂપું શરીર), દારિદ્રય, દૌર્ભાગ્યપણું અને મુંગી વેદના હોય છે. વેદના ઘણી હોવા છતાં બીજાને કહી ન શકે, તિર્યંચને ઘણું જ સહન કરવું પડતું હોય છે અને જીવન પણ પીડિત અવસ્થાવાળું, અપમાનિત અને તર્જનાથી દુઃખોથી) ભરેલું પામે, આ બધું શાનું પરિણામ છે ?