________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૨
(૪) તપસ્વીને હથેળી અથવા પગના તળિયામાં બળતરા થતી હોય તો ઘી લગાડવું. વળી પાંચસાત
અરીઠાનાં નંગ ભાંગીને પાણીમાં પલાળી દેવાં. સરખાં પલળી ગયે ચોળીને તેના પાણીમાં તપસ્વીના હાથપગ બોળી રાખવા. એનાથી ઠંડક લાગશે. (ભારે તાવમાં પણ આ પ્રયોગ
કરી શકાય છે.) (૫) તપસ્વીને શરીરે કળતર થતી હોય ત્યારે તેને લેપ લગાડી શકાય છે. તેની સામ્રગી: ૨૫
દાણા લવિંગના, તેટલાં જ નંગ તજના નાના કટકા, એક જીણી ચમચી અજમો, એક સમદરફળ (ખારેક જેવું કઠણ ફળ)ના દસ્તાથી કરેલા નાના કટકા અને એક નંગ જાયફળનો ઝીણો ભૂક્કો. બનાવવાની રીત : લોખંડની કડાઈ અથવા તવીમાં પહેલાં ધીમા તાપે સમદરફળના કટકાને શેકવા. તે ગરમ થયે તેમાં તજ-લવિંગ નાખવાં. હલાવતાં રહેવું. થોડીવારે તેમાં અજમો નાખવો. હલાવીને એકાદ મિનિટ પછી વાસણ નીચે ઉતારવું. ત્યાર પછી પણ થોડીવાર સુધી હલાવતાં રહેવું. ઠંડુ થયે પત્થરથી છીપર પર વાટીને ઝીણો ભૂકો કરવો. છીપર ન હોય તો મિક્સરમાં હલાવીને મેંદા જેવો ઝીણો ભૂકો કરવો. તેમાં જાયફળનો ભૂકો મેળવી દેવો. પછી મેદાના આંકે ચાળી લેવું. આ પાઉડર એરટાઈટ વાસણમાં ભરી લેવો. ઉપયોગમાં લેતી વખતે એક નાની તપેલીમાં બે ચમચી જેટલો પાઉડર લેવો. તેમાં પાણી નાખીને ભજીયાના પાતળા ખીરો જેવું કરવું. એકદમ ધીરે તાપે થોડીવાર હલાવવું. ચોપડવા જેવું ઘટ્ટ થયે ઉતારી લેવું તેમાં એક નાની ચમચી ઘી નાખવું. તપસ્વીને શરીરે થોડું થોડું લઈને ધીમે ધીમે ચાળવું. તેનો કસ અંદર ઉતરી જાય તે જોવું. બાકી લેપ આપોઆપ ખરી જશે. ઘીને લીધે ચામડી લીસી રહેશે તેમ જ ચાળતી વખતે બળતરા નહિ થાય. પણ અંદરથી ગરમાવો આવતાં તપસ્વીને સ્કૂર્તિ લાગશે (આ લેપ શરદી કે તાવના કળતરમાં પણ દર્દીને માથે અથવા શરીરે લગાવી શકાય.) તપસ્વીમાં કોઈને ગરમીનો કોઠો હોય તો તેને માથું ચડે ત્યારે કપાળે સુખડ લગાડાય. વળી જો તેને તાળવામાં સખત દુખવા લાગે તો ઘઉંના લોટની કણક કરીને જાડી ભાખરી જેવું વણીને તેના ઉપર જરા તેલ લગાડીને તપસ્વીને માથે મૂકીને કપડું બાંધી દેવું. બે કલાક રાખવું. જો તપસ્વીનો કોઠો ઠંડીનો હોય તો ઉપર(પ)માં લખેલ ઘઉંની કણકમાં ભેળવીને તેની ભાખરી વણીને તપસ્વીને માથે મૂકી દેવું. માથું ચડ્યું હોય તો ઠંડા કોઠાવાળા તપસ્વીને
ઉપર(પ)નો લેપ રીત મુજબ કપાળે લગાડવો. (૭) તપસ્વીને કોઈવાર શીળસ નીકળે છે ત્યારે કોકમ પલાળીને તેનું પાણી અવારનવાર લગાડતા
રહેવાથી રાહત થાય છે.